Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારત પર હુમલો થયો તો ઘરમાં ઘૂસીને મારશુંઃ અમિત શાહ

ભારત પર હુમલો થયો તો ઘરમાં ઘૂસીને મારશુંઃ અમિત શાહ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ગૃહમંત્રી અમિત શાહે રવિવારે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની ઑફિસનું ઉદ્ઘાટન કર્યું, આ દરમિયાન ગૃહ મંત્રીએ લોકોને સંબોધિત પણ કર્યા, જેમાં તેમણે કહ્યું કે અમે દુનિયામાં શાંતિ ઈચ્છીએ છીએ પરંતુ જો ભારત પર હુમલો થયો તો ભારત પણ ઘરમાં ઘુસીને મારશે, હવે ભારત ચુપ નહિ બેસે, શાહે કહ્યું કે હુમલો કરનારા પોતાના મોત પહેલેથી જ લખાવીને લાવે છે, તેમણે સર્જિકલ સ્ટ્રાઈક તરફ ઈશારો કરતા કહ્યું કે અમેરિકા-ઈઝરાયેલ ઘરમાં ઘૂસીને મારતા હતા, હવે ભારતનું નામ પણ ઘરમાં ઘૂસીને મારવાવાળાઓમાં સામેલ થઈ ગયું છે.

જો ભારત પર હુમલો થયો તો ઘરમાં ઘૂસીને મારશું

જો ભારત પર હુમલો થયો તો ઘરમાં ઘૂસીને મારશું

ગૃહમંત્રીએ કહ્યું કે જો કોઈપણ દેશે અમારી સીમાનું ઉલ્લંઘન કર્યું કે પછી અમારા જવાનોને નુકસાન પહોંચાડ્યું તો તેમણે પરિણામ ભોગવવું પડશે, અમે ઈંટનો જવાબ પત્થરથી આપશું, અમિત શાહે કહ્યું કે પાંચ વર્ષમાં એનએસજીએ ભારત સરકાર સમક્ષ જે અપેક્ષાઓ રાખી તે બધી જ અપેક્ષાઓની પૂર્તી પીએમ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર સુનિશ્ચિત રૂપે કરશે.

આજે મારા માટે બહુ ગૌરવ અને હર્ષનો વિષય

આજે મારા માટે બહુ ગૌરવ અને હર્ષનો વિષય

તેમણે કહ્યું કે આજે મારા માટે ઘણું ગૌરવ અને હર્ષનો વિષય છે કે એનએસજી માટે જે પ્રકારની સુવિધા તેમને નિશ્ચિત થઈ કામ કરવા માટે જોઈએ, તે સુવિધાની પૂર્તિમાં આજે એક પગલું આગળ વધારી રહ્યા છીએ, અમિત શાહે કહ્યું કે એનએસજીનું કામ છે કે જે લોકો દેશને તોડવા અને શાંતિ ભંગ કરવાનું કામ કરી રહ્યા છે તેમના મનમાં ભય પેદા કરે અને જો છાં આ લોકો ના માને તો કાર્યવાહી કરે.

100 દિવસ પોતાના પરિવાર સાથે રહી શકે સુરક્ષાબળના જવાન

100 દિવસ પોતાના પરિવાર સાથે રહી શકે સુરક્ષાબળના જવાન

અમિત શાહે કહ્યું કે તેમની સરકાર જલદી જ આવી વ્યવસ્થા કરવા જઈ રહી છે કે તમામ સુરક્ષાબળોના જવાન વર્ષમાં ઓછામા ઓછા 100 દિવસ પોતાના પરિવાર સાથે રહી શકે. તેમણે કહ્યું કે તેમની સરકાર એનએસજી સમય તમામ સુરક્ષાબળોના હિત માટે કાર્ય કરી રહી છે. માત્ર સુરક્ષા બળ જ નહિ તેમના પરિવારના દરેક સભ્ય ખુશ અને સુખી રહે, સ્વાસ્થ્ય, આવાસ સુવિધા, ભણતર સારી રીતે થાય એ બધા વિષયો પર જોર આપી રહી છે.

245 કરોડ રૂપિયાની અલગ-અલગ યોજનાઓનું લોકાર્પણ

245 કરોડ રૂપિયાની અલગ-અલગ યોજનાઓનું લોકાર્પણ

જણાવી દઈએ કે આજ એક સાથે 245 કરોડની ઢગલાબંધ યોજનાઓનું લોકાર્પણ અને ભૂમિપૂજન થયું છે, જ્યારે દિલ્હી હિંસાને લઈ શાહ વિરુદ્ધ વામમોર્ચા અને કોંગ્રેસ કાર્યકર્તા હાથમાં કાળા ઝંડા લઈ શહેર ભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એરપોર્ટથી કેટલીક દૂર પર પણ વામપંથી કાર્યકર્તા અને કોંગ્રેસીઓએ હાથમાં પોસ્ટર બેનર શાહ ગો બૈકનું નારું લગાવતા વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જો કે વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખી રાજ્ય પોલીસ પ્રશાસને પણ તેમની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરી રાખી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X