ભારત પર હુમલો થયો તો ઘરમાં ઘૂસીને મારશુંઃ અમિત શાહ
ભારત પર હુમલો થયો તો ઘરમાં ઘૂસીને મારશુંઃ અમિત શાહ
કોલકાતાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ગૃહમંત્રી અમિત શાહે રવિવારે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની ઑફિસનું ઉદ્ઘાટન કર્યું, આ દરમિયાન ગૃહ મંત્રીએ લોકોને સંબોધિત પણ કર્યા, જેમાં તેમણે કહ્યું કે અમે દુનિયામાં શાંતિ ઈચ્છીએ છીએ પરંતુ જો ભારત પર હુમલો થયો તો ભારત પણ ઘરમાં ઘુસીને મારશે, હવે ભારત ચુપ નહિ બેસે, શાહે કહ્યું કે હુમલો કરનારા પોતાના મોત પહેલેથી જ લખાવીને લાવે છે, તેમણે સર્જિકલ સ્ટ્રાઈક તરફ ઈશારો કરતા કહ્યું કે અમેરિકા-ઈઝરાયેલ ઘરમાં ઘૂસીને મારતા હતા, હવે ભારતનું નામ પણ ઘરમાં ઘૂસીને મારવાવાળાઓમાં સામેલ થઈ ગયું છે.

જો ભારત પર હુમલો થયો તો ઘરમાં ઘૂસીને મારશું
ગૃહમંત્રીએ કહ્યું કે જો કોઈપણ દેશે અમારી સીમાનું ઉલ્લંઘન કર્યું કે પછી અમારા જવાનોને નુકસાન પહોંચાડ્યું તો તેમણે પરિણામ ભોગવવું પડશે, અમે ઈંટનો જવાબ પત્થરથી આપશું, અમિત શાહે કહ્યું કે પાંચ વર્ષમાં એનએસજીએ ભારત સરકાર સમક્ષ જે અપેક્ષાઓ રાખી તે બધી જ અપેક્ષાઓની પૂર્તી પીએમ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર સુનિશ્ચિત રૂપે કરશે.

આજે મારા માટે બહુ ગૌરવ અને હર્ષનો વિષય
તેમણે કહ્યું કે આજે મારા માટે ઘણું ગૌરવ અને હર્ષનો વિષય છે કે એનએસજી માટે જે પ્રકારની સુવિધા તેમને નિશ્ચિત થઈ કામ કરવા માટે જોઈએ, તે સુવિધાની પૂર્તિમાં આજે એક પગલું આગળ વધારી રહ્યા છીએ, અમિત શાહે કહ્યું કે એનએસજીનું કામ છે કે જે લોકો દેશને તોડવા અને શાંતિ ભંગ કરવાનું કામ કરી રહ્યા છે તેમના મનમાં ભય પેદા કરે અને જો છાં આ લોકો ના માને તો કાર્યવાહી કરે.

100 દિવસ પોતાના પરિવાર સાથે રહી શકે સુરક્ષાબળના જવાન
અમિત શાહે કહ્યું કે તેમની સરકાર જલદી જ આવી વ્યવસ્થા કરવા જઈ રહી છે કે તમામ સુરક્ષાબળોના જવાન વર્ષમાં ઓછામા ઓછા 100 દિવસ પોતાના પરિવાર સાથે રહી શકે. તેમણે કહ્યું કે તેમની સરકાર એનએસજી સમય તમામ સુરક્ષાબળોના હિત માટે કાર્ય કરી રહી છે. માત્ર સુરક્ષા બળ જ નહિ તેમના પરિવારના દરેક સભ્ય ખુશ અને સુખી રહે, સ્વાસ્થ્ય, આવાસ સુવિધા, ભણતર સારી રીતે થાય એ બધા વિષયો પર જોર આપી રહી છે.

245 કરોડ રૂપિયાની અલગ-અલગ યોજનાઓનું લોકાર્પણ
જણાવી દઈએ કે આજ એક સાથે 245 કરોડની ઢગલાબંધ યોજનાઓનું લોકાર્પણ અને ભૂમિપૂજન થયું છે, જ્યારે દિલ્હી હિંસાને લઈ શાહ વિરુદ્ધ વામમોર્ચા અને કોંગ્રેસ કાર્યકર્તા હાથમાં કાળા ઝંડા લઈ શહેર ભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એરપોર્ટથી કેટલીક દૂર પર પણ વામપંથી કાર્યકર્તા અને કોંગ્રેસીઓએ હાથમાં પોસ્ટર બેનર શાહ ગો બૈકનું નારું લગાવતા વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જો કે વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખી રાજ્ય પોલીસ પ્રશાસને પણ તેમની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરી રાખી છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
