Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વિપક્ષ એક નહીં થાય તો જનતા માફ નહીં કરે - અધિર રંજન ચૌધરી

કર્ણાટકમાં બીજેપીને ખરાબ રીતે હરાવીને સત્તામાંથી બહાર કર્યા બાદ હવે વિપક્ષી પાર્ટીઓ બીજેપીને 2024ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રની સત્તામાંથી હટાવવા માટે એકજૂથ થઈ રહી છે. આ મુદ્દે કોંગ્રેસ નેતા અધિરંજન ચૌધરીએ મોટુ નિવેદન આપ્યુ છે.

કર્ણાટકની જીતે હાંસિયામાં ધકેલાઈ રહેલી કોંગ્રેસને નવજીવન આપ્યુ છે. કર્ણાટકના પરિણામોથી કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓમાં ઉત્સાહ છે ત્યારે બંગાળના કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ કહ્યું છે કે બીજેપી અને પીએમ મોદીના દિવસો ખતમ થવાના છે, જો વિપક્ષ હવે એક નહીં થાય તો દેશની જનતા આપણને માફ નહીં કરે.

Adhir Ranjan Chaudhary

કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, કોંગ્રેસ શરૂઆતથી જ કહેતી આવી છે કે જો વિપક્ષ એક થશે તો બીજેપીની સત્તા નહીં બચે. વિપક્ષોએ એક થઈને ભાજપ સામે લડવું પડશે. કોઈ અજેય નથી, ભાજપને હરાવવુ શક્ય છે.

તેમણે આગળ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડીને અજેય જોડી માનવામાં આવતી હતી પરંતુ આજે સાબિત થઈ ગયું છે કે સામાન્ય જનતાનો મત એ કોઈ પાર્ટીના બેંકના પૈસા કે ફિક્સ ડિપોઝીટ નથી. કોઈ ગમે તેટલા મોટા દાવા કરે, સામાન્ય જનતા વિચારીને મત આપે છે.

અધીર રંજન ચૌધરીએ આગળ કહ્યું કે, કર્ણાટકના પરિણામોથી દેશમાં બીજેપી વિરોધી લહેર ફેલાઈ છે અને લોકો કહી રહ્યા છે કે પીએમ મોદી અને ભાપના દિવસો પૂરા થવાના છે. અધીર રંજને કહ્યું કે જો વિપક્ષો ભાજપ સામે એક નહીં થાય તો દેશની જનતા માફ નહીં કરે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X