Atiq Ashraf murder case : અતીક-અસરફ હત્યાકાંડમાં સ્વતંત્ર તપાસની માંગ, 24 એપ્રિલના રોજ થશે સુનાવણી
Atiq Ashraf murder case : મેડિકલ ટેસ્ટ કરાવતા સમયે પ્રયાગરાજના મેડિકલ કોલેજમાં પોલીસકર્મીઓનો કાફલો અતીક અને અશરફને લઇ જઇ રહ્યા હતા. આ દરમિયાન અતીક અને અશરફની પત્રકારો બનીને આવેલા ત્રણ લોકોએ ગોળી મારી હતી.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેચે એડવોકેટ વિશાલ તિવારીની રજૂઆતોની નોંધ લીધી હતી, જેમણે આ મામલાની તાકીદની સુનાવણી માટે ઉલ્લેખ કર્યો હતો. અરજીમાં ઉત્તર પ્રદેશમાં 2017થી અત્યાર સુધીમાં 183 એન્કાઉન્ટરોની તપાસની પણ માંગ કરવામાં આવી છે.'

બંને ભાઈઓની હત્યા પહેલા અતીકના પુત્ર અસદની લાશને દફનાવી દેવામાં આવી હતી. 13 એપ્રિલના રોજ ઝાંસીમાં પોલીસ એન્કાઉન્ટરમાં અસદ અને તેનો એક સહયોગી માર્યો ગયો હતો.
ઉત્તર પ્રદેશ પોલીસે શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, તેમણે અસદ અને તેના સાથી સહિત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી સરકારના છ વર્ષમાં એન્કાઉન્ટરમાં 183 કથિત ગુનેગારોને માર્યા છે. અરજીમાં અતીક અને અશરફની હત્યાની તપાસ માટે એક સ્વતંત્ર નિષ્ણાત સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી છે.
આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, વિશેષ પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા), ઉત્તર પ્રદેશના નિવેદન અનુસાર, 2017 થી અત્યાર સુધીમાં 183 એન્કાઉન્ટર અને પોલીસ કસ્ટડીમાં અતીક અને અશરફની હત્યાની તપાસ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં સ્વતંત્ર નિષ્ણાત સમિતિની રચના કરીને કાયદાના શાસનને સુરક્ષિત રાખવા માટે નિર્દેશો જાહેર કરવામાં આવે.
અતીક-અસરફની હત્યાનો ઉલ્લેખ કરતા અરજીમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસનું આવું કૃત્ય લોકશાહી અને કાયદાના શાસન માટે ગંભીર ખતરો છે અને પોલીસરાજ તરફ દોરી જાય છે.
આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, લોકશાહી સમાજમાં, પોલીસને અંતિમ નિર્ણય સત્તા અથવા સજા આપનારી સત્તા બનવાની મંજૂરી આપી શકાતી નથી. એકલા ન્યાયતંત્રને સજા કરવાની સત્તા છે. તેમણે જણાવ્યું હતું કે, કાયદામાં બહારની હત્યાઓ અથવા નકલી પોલીસ એન્કાઉન્ટરને કોઈ સ્થાન નથી.
આ અરજીમાં જણાવ્યા અનુસાર, જ્યારે પોલીસ અવિચારી બની જાય છે, ત્યારે સમગ્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભાંગી પડે છે. આ સાથે લોકોમાં પોલીસ સામે ભય પેદા થાય છે, જે લોકશાહી માટે ખૂબ જ ખતરનાક છે અને વધુ ગુનાઓ તરફ દોરી જાય છે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો







Click it and Unblock the Notifications
