આ વર્ષે આસિસટન્ટ પ્રોફેસરોની ભરતી માટે જરૂરી નથી પીએચડી, કેન્દ્ર સરકારે લીધો નિર્ણય
કેન્દ્ર સરકારે આસિસટન્ટ પ્રોફેસરોની ભરતી માટે પીએચડીને લઘુત્તમ યોગ્યતા બનાવવાની યોજના પર હાલમાં રોક લગાવી દીધી છે.
નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે આસિસટન્ટ પ્રોફેસરોની ભરતી માટે પીએચડીને લઘુત્તમ યોગ્યતા બનાવવાની યોજના પર હાલમાં રોક લગાવી દીધી છે. સરકારે આ નિર્ણય કોવિડ-19 મહામારીના કારણે લીધો છે. આના કારણે આ વર્ષમાં આસિસટન્ટ પ્રોફેસરોની ભરતી માટે પીએચડીને લઘુત્તમ યોગ્યતા તરીકે રાખવામાં નહિ આવે. આ વિશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને માહિતી આપી છે.

કોરોના વાયરસ મહામારીના કારણે અટક્યુ હતુ પીએચડી
વાસ્તવમાં વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ(યુજીસી)એ 2018માં વિશ્વવિદ્યાલયો અને કૉલેજોમાં પ્રવેશ સ્તરના પદો પર ભરતી માટે માનદંડ નક્કી કર્યા હતા. યુજીસીએ ઉમેદવારોને પોતાનુ પીએચડી પૂરુ કરવા માટે ત્રણ વર્ષનો સમય આપ્યો હતો અને બધી વિશ્વવિદ્યાલયો અને કૉલેજોને 2012-22ના શૈક્ષણિક સત્રમાં નવી નિયુક્તિઓ દરમિયાન આ માનદંડને લાગુ કરવા માટે કહ્યુ હતુ. જો કે મહામારીના કારણે ઘણા ઉમેદવારે પોતાનુ પીએચડી પૂરુ કરી શક્યા નહોતા. તેમણે સરકારને આ વર્ષે આ નવા માનદંડમાં ઢીલ આપવાની અપીલ કરી હતી.
લોકોની અપીલ બાદ લીધો નિર્ણય
આ વિશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ, 'સરકારે આ વર્ષ માટે સહાયક પ્રોફેસર પદ માટે પીએચડીની અનિવાર્યતા પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. અમને એવા ઉમેદવારો પાસેથી ઘણા બધા અનુરોધ મળી રહ્યા હતા જે આ પદ માટે આવેદન કરવા માંગતા હતા પરંતુ પોતાની પીએચડીની અનિવાર્યતાને પૂરી કરવામાં અસમર્થ હતા.'
NET પાસ કરનારની થશે ભરતી
એક અધિકારીએ જણાવ્યુ કે, 'સ્નાતકોત્તર ડિગ્રીવાળા ઉમેદવાર જેમણે રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા(NET) પાસ કરી છે, તે પદ પર ભરતી માટે પાત્ર બની રહેશે. યુજીસી જલ્દી આ નિર્ણય અંગે બધા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને એક સર્ક્યુલર જાહેર કરશે. આ કૉલેજો અને વિશ્વવિદ્યાલયોને બધી ખાલી સીટોને જલ્દી ભરવામાં મદદ મળશે.' તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બરમાં શિક્ષણ મંત્રીએ બધા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોને ઓક્ટોબરના અંત સુધી 6000 વિષમ શિક્ષણ ખાલી સ્થાનોને ભરવા માટે કહ્યુ હતુ.
દિલ્લી વિશ્વ વિદ્યાલય શિક્ષણ સંઘના સભ્ય આભા દેવ હબીબે સરકારના નિર્ણય પર પ્રતિક્રિયા આપીને કહ્યુ, 'આનાથી વિશ્વવિદ્યાલયના વિભાગોમાં એડ હોક શિક્ષકોને મદદ મળશે જેમની પુનર્નિયુક્તિ આ અનિવાર્ય પીએચડીના કારણે પેન્ડીંગ રાખવામાં આવી હતી.' તમને જણાવી દઈએ કે ડુટા(DUTA)ના પ્રતિનિધિઓએ 15 સપ્ટેમ્બરના રોજ યુજીસીના અધિકારીઓ સાથે મુલાકાત કરીને આ મુદ્દાને ઉઠાવ્યો હતો.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
