આ વર્ષે આસિસટન્ટ પ્રોફેસરોની ભરતી માટે જરૂરી નથી પીએચડી, કેન્દ્ર સરકારે લીધો નિર્ણય
કેન્દ્ર સરકારે આસિસટન્ટ પ્રોફેસરોની ભરતી માટે પીએચડીને લઘુત્તમ યોગ્યતા બનાવવાની યોજના પર હાલમાં રોક લગાવી દીધી છે.
નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે આસિસટન્ટ પ્રોફેસરોની ભરતી માટે પીએચડીને લઘુત્તમ યોગ્યતા બનાવવાની યોજના પર હાલમાં રોક લગાવી દીધી છે. સરકારે આ નિર્ણય કોવિડ-19 મહામારીના કારણે લીધો છે. આના કારણે આ વર્ષમાં આસિસટન્ટ પ્રોફેસરોની ભરતી માટે પીએચડીને લઘુત્તમ યોગ્યતા તરીકે રાખવામાં નહિ આવે. આ વિશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને માહિતી આપી છે.

કોરોના વાયરસ મહામારીના કારણે અટક્યુ હતુ પીએચડી
વાસ્તવમાં વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ(યુજીસી)એ 2018માં વિશ્વવિદ્યાલયો અને કૉલેજોમાં પ્રવેશ સ્તરના પદો પર ભરતી માટે માનદંડ નક્કી કર્યા હતા. યુજીસીએ ઉમેદવારોને પોતાનુ પીએચડી પૂરુ કરવા માટે ત્રણ વર્ષનો સમય આપ્યો હતો અને બધી વિશ્વવિદ્યાલયો અને કૉલેજોને 2012-22ના શૈક્ષણિક સત્રમાં નવી નિયુક્તિઓ દરમિયાન આ માનદંડને લાગુ કરવા માટે કહ્યુ હતુ. જો કે મહામારીના કારણે ઘણા ઉમેદવારે પોતાનુ પીએચડી પૂરુ કરી શક્યા નહોતા. તેમણે સરકારને આ વર્ષે આ નવા માનદંડમાં ઢીલ આપવાની અપીલ કરી હતી.
લોકોની અપીલ બાદ લીધો નિર્ણય
આ વિશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ, 'સરકારે આ વર્ષ માટે સહાયક પ્રોફેસર પદ માટે પીએચડીની અનિવાર્યતા પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. અમને એવા ઉમેદવારો પાસેથી ઘણા બધા અનુરોધ મળી રહ્યા હતા જે આ પદ માટે આવેદન કરવા માંગતા હતા પરંતુ પોતાની પીએચડીની અનિવાર્યતાને પૂરી કરવામાં અસમર્થ હતા.'
NET પાસ કરનારની થશે ભરતી
એક અધિકારીએ જણાવ્યુ કે, 'સ્નાતકોત્તર ડિગ્રીવાળા ઉમેદવાર જેમણે રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા(NET) પાસ કરી છે, તે પદ પર ભરતી માટે પાત્ર બની રહેશે. યુજીસી જલ્દી આ નિર્ણય અંગે બધા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને એક સર્ક્યુલર જાહેર કરશે. આ કૉલેજો અને વિશ્વવિદ્યાલયોને બધી ખાલી સીટોને જલ્દી ભરવામાં મદદ મળશે.' તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બરમાં શિક્ષણ મંત્રીએ બધા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોને ઓક્ટોબરના અંત સુધી 6000 વિષમ શિક્ષણ ખાલી સ્થાનોને ભરવા માટે કહ્યુ હતુ.
દિલ્લી વિશ્વ વિદ્યાલય શિક્ષણ સંઘના સભ્ય આભા દેવ હબીબે સરકારના નિર્ણય પર પ્રતિક્રિયા આપીને કહ્યુ, 'આનાથી વિશ્વવિદ્યાલયના વિભાગોમાં એડ હોક શિક્ષકોને મદદ મળશે જેમની પુનર્નિયુક્તિ આ અનિવાર્ય પીએચડીના કારણે પેન્ડીંગ રાખવામાં આવી હતી.' તમને જણાવી દઈએ કે ડુટા(DUTA)ના પ્રતિનિધિઓએ 15 સપ્ટેમ્બરના રોજ યુજીસીના અધિકારીઓ સાથે મુલાકાત કરીને આ મુદ્દાને ઉઠાવ્યો હતો.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
