ગદ્દાર વિવાદ બાદ પહેલીવાર સાથે દેખાયા પાયલટ - ગેહલોત, કોંગ્રેસે કહ્યું- અમે એક સાથે છીયે
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભૂતકાળમાં સચિન પાયલટને દેશદ્રોહી કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે સચિન પલાયતે પાર્ટી સાથે દગો કર્યો છે, તેમની પાસે માત્ર 10 ધારાસભ્યોનું સમર્થન છે, તેમને મુખ્યમંત્રી કેવી રીતે બનાવી શકા
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભૂતકાળમાં સચિન પાયલટને દેશદ્રોહી કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે સચિન પલાયતે પાર્ટી સાથે દગો કર્યો છે, તેમની પાસે માત્ર 10 ધારાસભ્યોનું સમર્થન છે, તેમને મુખ્યમંત્રી કેવી રીતે બનાવી શકાય? આ વિવાદ બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે રાજસ્થાન કોંગ્રેસમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. તે જ સમયે, આ વિવાદ પછી, બંને નેતાઓ મંગળવારે પ્રથમ વખત સાથે દેખાયા. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે પાર્ટીમાં બધુ બરાબર છે અને અમે સાથે છીએ.

કેસી વેણુગોપાલે પત્રકારો સાથે કરી વાત
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જયપુરમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે અશોક ગેહલોત અને સચિન પાયલટે કહ્યું છે કે તેઓ એક છે. તેમણે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધી પહેલા જ કહી ચૂક્યા છે કે બંને નેતાઓ રાજસ્થાન કોંગ્રેસના અમૂલ્ય રત્નો છે. આ દરમિયાન બંનેએ ભાજપ અને પીએમ મોદી પર પણ પ્રહારો કર્યા હતા.

અશોક ગેહલોતે બીજેપી પર કર્યો હુમલો
મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે વડાપ્રધાન અને ગૃહમંત્રી ગુજરાતની ચૂંટણીને લઈને સંપૂર્ણ રીતે નર્વસ છે. તેમણે કહ્યું કે પીએમ અને ગૃહમંત્રી ગુજરાતમાં ફરે છે, ત્યાં આવી મુલાકાતો કેમ થઈ રહી છે? તમે સમજી શકો છો કે બંને નેતાઓ કેટલા બોખલાયેલા અને ગભરાયેલા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો અદ્ભુત સંદેશ આખા દેશમાં પહોંચી રહ્યો છે.
|
પાયલટ બોલ્યા- ભારત જોડો યાત્રાનુ થશે જોરદાર સ્વાગત
સચિન પાયલટે કહ્યું કે રાહુલ ગાંધી સાથેની ભારત જોડો યાત્રાનું રાજસ્થાનમાં પૂરા ઉત્સાહ અને ઉર્જા સાથે સ્વાગત કરવામાં આવશે. તેમણે કહ્યું કે 4 ડિસેમ્બરે યાત્રા મધ્યપ્રદેશ થઈને રાજસ્થાનમાં પ્રવેશ કરશે. આ યાત્રા રાજ્યમાં 12 દિવસ પસાર કરશે. તમામ વર્ગના લોકોની ભાગીદારી સાથે આ યાત્રા ઐતિહાસિક બની રહેશે. તમને જણાવી દઈએ કે ભારત જોડો યાત્રા રાજસ્થાનના ગુર્જર વિસ્તારોમાંથી પસાર થશે. આ યાત્રા 7 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ કરવામાં આવી હતી. આ યાત્રા દક્ષિણના રાજ્યોને આવરી લેતા મહારાષ્ટ્ર બાદ મધ્યપ્રદેશ પહોંચી છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
