'રાષ્ટ્રગીતના સ્થાને સંસદમાં ઇકબાલ દ્વારા લખાયેલ ગીત વગાડો'

બર્કે ગઇકાલે એ પણ જણાવ્યું કે સંસદ સત્રના સમાપન પર વંદેમાતરમના સ્થાને ઇકબાલ દ્વારા લખાયેલ ગીત 'સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા' વગાડવામાં આવે.
ભાજપાના પ્રદેશ પ્રવક્તા વિજય બહાદૂર પાઠકે અત્રે ચૂંટણી પંચને અપીલ કરી છે કે રાષ્ટ્રગીતનું અપમાન કરનાર સાંસદને હવે ફરીથી ચૂંટણી લડવાની પરવાનગી આપવી જોઇએ નહીં. તેમણે જણાવ્યું કે ગઇકાલે બર્કે આપેલું નિવેદન ખૂબ જ આપત્તિજનક છે, તેઓ હંમેશા રાષ્ટ્રગીત વાગતા પહેલા સંસદ છોડીને જતા રહેતા હતા. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રગીત અને રાષ્ટ્ર અંગે આવા વિચાર રાખવા બદલ સાંસદને ચૂંટણી લડવાથી રોકવા જોઇએ.
ભાજપા પ્રવક્તાએ જણાવ્યુ કે બસપા પ્રમુખ આ અંગે હજી સુધી મૌન છે. બસપા પ્રમુખ બતાવે કે શું તે પોતાના સાંસદનું આ અંગે સમર્થન કરે છે. જો ના તો તેમણે પાર્ટીના આવા નેતાઓ સામે કાર્યવાહી કરવી જોઇએ.












Click it and Unblock the Notifications
