પ્રધાનમંત્રીએ 9 વર્ષોમાં વિદેશ યાત્રા પર 642 કરોડ ખર્ચ્યા

manmohan singh
નવી દિલ્હી, 9 જૂન : હાલમાં દેશ મોંઘવારીની માર સહી રહ્યો છે. દેશની અડધાથી વધારે વસ્તી ગરીબી રેખાની નીચે જીવન વ્યતિત કરી રહી છે, પરંતુ દેશના અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રી મનમોહન સિંહની વિદેશ યાત્રાઓ પર ગયા 9 વર્ષમાં 642 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. યુપીએ સરકારના નવ વર્ષમાં પ્રધાનમંત્રીએ 62 વખત વિદેશયાત્રા કરી છે. જેના પર સરકારે 642 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ આંકડો કોઇ અન્યએ નહીં પરંતુ પ્રધાનમંત્રી કાર્યાલયે પોતાની અધિકારીક વેબસાઇટ પર જારી કર્યો છે.

આ આંકડો પ્રધાનમંત્રી કાર્યાલયની વેબસાઇટ પર યાત્રાઓ માટે આપવામાં આવેલા ખર્ચથી સામે આવ્યો છે. આરટીઆઇ થકી મળેલી જાણકારી બાદ પીએમઓએ સરકારના કામકાજમાં પારદર્શિતા વધારવાના ઉદ્દેશથી આ માહિતી વેબસાઇટ પર મૂકી છે.

વેબસાઇટ પર આપેલા આંકડાઓ અનુસાર 2004માં પહેલીવાર પ્રધાનમંત્રીનું પદ સંભાળ્યું અને 29થી 31 જુલાઇ 2004માં તેમણે પહેલી વિદેશયાત્રા ખેડી હતી. આ વિદેશ પર પાંચ કરોડ 38 લાખ 95 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. પીએમઓની વેબસાઇટ પર મનમોહનસિંહની કૂલ 62 યાત્રાઓની માહિતી આપવામાં આવી છે.

જ્યારે પીએમની હાલમાં જ જાપાન અને થાઇલેન્ડની પાંચ દિવસીય યાત્રા આ સૂચિમાં સામેલ નથી.મનમોહન સિંહની વિદેશયાત્રાથી સૌથી વધારે 26 કરોડ 94 લાખ 10 હજાર રૂપિયાનો ખર્ચ મોક્સિકો અને બ્રાઝિલની 16થી 23ની યાત્રા દરમિયાન કરવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X