For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રધાનમંત્રીએ 9 વર્ષોમાં વિદેશ યાત્રા પર 642 કરોડ ખર્ચ્યા

|
Google Oneindia Gujarati News

manmohan singh
નવી દિલ્હી, 9 જૂન : હાલમાં દેશ મોંઘવારીની માર સહી રહ્યો છે. દેશની અડધાથી વધારે વસ્તી ગરીબી રેખાની નીચે જીવન વ્યતિત કરી રહી છે, પરંતુ દેશના અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રી મનમોહન સિંહની વિદેશ યાત્રાઓ પર ગયા 9 વર્ષમાં 642 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. યુપીએ સરકારના નવ વર્ષમાં પ્રધાનમંત્રીએ 62 વખત વિદેશયાત્રા કરી છે. જેના પર સરકારે 642 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ આંકડો કોઇ અન્યએ નહીં પરંતુ પ્રધાનમંત્રી કાર્યાલયે પોતાની અધિકારીક વેબસાઇટ પર જારી કર્યો છે.

આ આંકડો પ્રધાનમંત્રી કાર્યાલયની વેબસાઇટ પર યાત્રાઓ માટે આપવામાં આવેલા ખર્ચથી સામે આવ્યો છે. આરટીઆઇ થકી મળેલી જાણકારી બાદ પીએમઓએ સરકારના કામકાજમાં પારદર્શિતા વધારવાના ઉદ્દેશથી આ માહિતી વેબસાઇટ પર મૂકી છે.

વેબસાઇટ પર આપેલા આંકડાઓ અનુસાર 2004માં પહેલીવાર પ્રધાનમંત્રીનું પદ સંભાળ્યું અને 29થી 31 જુલાઇ 2004માં તેમણે પહેલી વિદેશયાત્રા ખેડી હતી. આ વિદેશ પર પાંચ કરોડ 38 લાખ 95 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. પીએમઓની વેબસાઇટ પર મનમોહનસિંહની કૂલ 62 યાત્રાઓની માહિતી આપવામાં આવી છે.

જ્યારે પીએમની હાલમાં જ જાપાન અને થાઇલેન્ડની પાંચ દિવસીય યાત્રા આ સૂચિમાં સામેલ નથી.મનમોહન સિંહની વિદેશયાત્રાથી સૌથી વધારે 26 કરોડ 94 લાખ 10 હજાર રૂપિયાનો ખર્ચ મોક્સિકો અને બ્રાઝિલની 16થી 23ની યાત્રા દરમિયાન કરવામાં આવે છે.

English summary
A sum of over Rs 642 crore has been incurred on Prime Minister Manmohan Singh's air travels abroad in the last nine years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X