વિપક્ષ પર મોદીનો પ્રહાર- યુપીમાં ડબલ-ડબલ યુવરાજનું થયુ્ં તે બિહારમાં પણ થશે
વિપક્ષ પર મોદીનો પ્રહાર- યુપીમાં ડબલ-ડબલ યુવરાજનું થયુ્ં તે બિહારમાં પણ થશે
છપરાઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બિહારના છપરા જિલ્લા પહોંચી ગયા ચે અને અહીં ભોજપુરીમાં જનસભાને સંબોધિત કરી. પીએમ મોદીએ ભોજપુરીમાં મહાગઠબંધન પર જોરદાર હુમલો બોલ્યો. તેમણે કહ્યું કે, અહીં ડબલ- ડબલ યુવરાજ છે, જે બંને હાથ હલાવી રહ્યા છે. કહ્યું કે બિહાર આવી એક યુવરાજે જંગલરાજના યુવરાજ સાથે હાથ મિલાવી લીધા છે. આ ડબલ યુવરાજ બિહારની જનતા વિશે ના વિચારી શકે. તેમણે કહ્યું કે યુપીમાં પણ જનતાએ ડબલ યુવરાજને ઓળખી લીધા હતા, તેઓ યુપીમાં ફેલ થયા અને હવે બિહારમાં પણ ફેલ થશે.

છપરામાં પીએમ મોદીની રેલી
છપરામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે છપરાની ભીડને જોઈ અંદાજો લગાવી લીધો કે બિહારમાં એનડીએની સરકાર બનશે. તેમણે કહ્યું કે એનડીએની ચૂંટણી જનસભામાં ભીડ જોઈ વિપક્ષી દલોના લોકો હાફળા ફાફળા થઈ ગયા છે. પીએમ મોદીએ કહ્યું કે ભાજપ માટે એનડીએ માટે તમારો આ પ્રેમ કેટલાક લોકોને ખટકી રહ્યો છે. જેની નજર હંમેશાથી ગરીબના પૈસા પર હોય, તેને ક્યારેય ગરીબના દુખ, તેની તકલીફ નથી દેખાતી. જ્યારે ભાજપના નેતૃત્વમાં એનડીએનું અમારું ગઠબંધન દેશના ગરીબના જીવનથી, બિહારના ગરીબના જીવનથી મુશ્કેલીઓ ઘટાડી રહ્યા છે.

નીતિશ કુમારની આગેવાનીમાં એનડીએની સરકાર બનશે
પીએમ મોદીએ કહ્યું કે પહેલા તબક્કામાં લોકોએ ખુબ મતદાન કર્યું. પહેલા તબક્કાના મતદાનનું જે વિશ્લેષણ કરવામાં આવ્યું તેનાથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે નીતિશ કુમારના નેતૃત્વમાં બીજીવાર એનડીએ સરકાર બનવા જઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે બિહારમાં એક તરફ વિકાસનું ડબલ એન્જીન છે તો બીજી તરફ ડબલ ડબલ યુવરાજ છે. જેમાનો એક ડબલ યુવરાજ તો જંગલરાજનો યુવરાજ છે. પીએમ મોદીએ કહ્યું કે ડબલ એન્જીનવાળી એનડીએ સરકાર બિહારના વિકાસ માટે પ્રતિબદ્ધ છે, તો આ ડબલ ડબલ યુવરાજ તો પોતપોતાના સિંહાસન બચાવવાની લડાઈ લડી રહ્યા છે.

ડબલ ડબલ યુવરાજને બિહારની ચિંતા નથી
આ ડબલ યુવરાજ બિહાર માટે વિચારી નથી શકતા, બિહારની જનતા માટે વિચારી નથી શકતા. તેમણે કહ્યું કે યુપીમાં એકવાર ડબલ યુવરાજ કાળો કોટ પહેરી બસની ઉપર ચઢી લોકો સામે હાથ હલાવી રહ્યા હતા. યુપીની જનતાએ ત્યાં તેમને ઘરભેગા કરી દીધા હતા. ત્યાંના એક યુવરાજ હવે જંગલરાજના યુવરાજ સાથે મળી ગયા છે. યુપીમાં જે ડબલ ડબલ યુવરાજનું થયું તેવું જ બિહારમાં પણ થશે. આ દરમ્યાન પીએમ મોદીએ છઠ પર્વની ચર્ચા કરતાં બિહારની મહિલાઓને સંબોધિત કરી.

માં તું છઠની તૈયારી કર તારો દીકરો દિલ્હી બેઠો છે
પીએમ મોદીએ કહ્યું કે દુનિયામાં આજે કોઈ એવો નથી જેને મહામારીએ અસરગ્રસ્ત ના કર્યો હોય. એનડીએની સરકારે કોરોનાની શરૂઆતથી જ સંકટકાળમાં દેશના ગરીબ, બિહારના ગરીબ સાથે ઉભી રહે તેવા પ્રયાસો કર્યા. ગરીબોને મફત અનાજ આપી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે કોરોના કાળમાં છઠ પુજા કેવી રીતે મનાવશું તેની કોઈ માએ ચિંતા કરવાની જરૂરત નથી. અરે મારી માં! તમે તમારા દીકરાને દિલ્હીમાં બેસાડ્યો છે, તો શું તે છઠની ચિંતા નહિ કરે! માં! તમે છઠની તૈયારી કરો, દિલ્હીમાં તમારો દીકરો બેઠો છે.
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?










Click it and Unblock the Notifications
