PM મોદીએ આ 6 વર્ષોમાં ઘણી ઐતિહાસિક ભૂલો સુધારીઃ અમિત શાહ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારના બીજા કાર્યકાળને આજે એક વર્ષ પૂરુ થઈ ગયુ છે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે ઘણા ટ્વિટ કર્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારના બીજા કાર્યકાળને આજે એક વર્ષ પૂરુ થઈ ગયુ છે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે ઘણા ટ્વિટ કર્યા છે. પોતાના આ ટ્વિટમાં તેમણે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પર નિશાન પણ સાધ્યુ. ગૃહમંત્રીએ ટ્વિટ કર્યુ, મોદીજીએ આ 6 વર્ષોના કાર્યકાળમાં માત્ર ઘણી ઐતિહાસિક ભૂલોને સુધારી છે એટલુ જ નહિ પરંતુ 6 દશકની ખાઈને પાટા પર લાવીને વિકાસપથ પર અગ્રેસર એક આત્મનિર્ભર ભારતનો પાયો પણ રાખ્યો છે. આ 6 વર્ષનો કાર્યકાળ ગરીબ કલ્યાણ તેમજ રિફોર્મને સમાંતર સમન્વયનુ એક અભૂતપૂર્વ ઉદાહરણ છે.

આ છ વર્ષોની ભૂલોને સુધારવાની વાત શાહે સરકારના અનુક એવા નિર્ણયોના સંદર્ભમાં કહી. જેવા કે જમ્મુ અને કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવી, નવો નાગરિકતા કાયદો લાવવો. તેમણે કહ્યુ, ઐતિહાસિક ઉપલબ્ધિઓથી પરિપૂર્ણ મોદી 2.0ના એક વર્ષના સફળ કાર્યકાળમાં ભારત આવા જ નિરંતર પ્રગતિશીલ રહેશે. તેમણે ભારતની જનતાના અતૂટ વિશ્વાસનો ઉલ્લેખ કરીને એક અન્ય ટ્વિટમાં લખ્યુ, 'ઈમાનદાર નેતૃત્વ તેમજ અથાગ પરિશ્રમના પ્રતિબંબ પ્રધાનમંત્રી મોદી પર ભારતની જનતાનો જે અતૂટ વિશ્વાસ છે તેવો જ દેશની જનતાને પોતાના નેતૃત્વમાં વિશ્વાસ છે. દુનિયામાં વિરલા જ જોવા મળે છે. મોદી સરકારને પસંદ કરીને આ ઉપલબ્ધિઓની સહ ભાગીદાર બનેલી ભારતની જનતાને હું કોટિ-કોટિ નમન કરુ છુ.'
અમિત શાહે પાર્ટી કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરીને કહ્યુ, 'આજે આ ઐતિહાસિક અવસર પર હું ગયા 6 વર્ષોથી મોદી સરકારના સંદેશવાહક બની સરકારની ઉપલબ્ધિઓ તેમજ જનકલ્યાણકારી યોજનાઓને ઘર-ઘર સુધી પહોંચાડનાર ભાજપના કરોડો કાર્યકર્તાઓને તેમના અથાગ પરિશ્રમ તેમજ સંગઠન સમર્પણ માટે હ્રદયથી આભાર વ્યક્ત કરુ છુ.' તમને જણાવી દઈએ કે અમિત શાહે સરકારના પહેલા કાર્યકાળમાં જે પી નડ્ડાથી પહેલા પાર્ટીનુ નેતૃત્વ કર્યુ હતુ. ગયા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે બીજા કાર્યકાળ માટે પ્રચંડ જીત મેળવી હતી. રાષ્ટ્રને લખેલા પોતાના પત્રમાં પ્રધાનમંત્રીએ પણ કહ્યુ છે કે ગયા વર્ષે આ દિવસે ભારતીય લોકતંત્રમાં એક સોનેરી અધ્યાય શરૂ થયો હતો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
