પીએમ મોદી ઈસરો ટીમને મળી થયા ભાવુક કહ્યુ - ચંદ્રયાન 3 લેન્ડર જ્યાં ઉતર્યુ એ જગ્યા કહેવાશે 'શિવશક્તિ'
PM Modi ISRO visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈસરોની ટીમના વૈજ્ઞાનિકોને મળ્યા હતા. પીએમ મોદી ઈસરોના વડા એસ સોમનાથ અને અન્ય વૈજ્ઞાનિકોને મળ્યા અને ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ ઉતરાણ બદલ અભિનંદન પાઠવ્યા. પીએમ મોદીએ સંબોધન કરતાં કહ્યું કે, હું ભારત આવ્યા બાદ સૌથી પહેલા તમને સલામ કરવા માંગતો હતો.
પીએમ નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં ઈસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સ ખાતે ચંદ્રયાન 3 મિશનમાં સામેલ ઈસરોના વડા એસ સોમનાથ અને ઈસરો ટીમના અન્ય વૈજ્ઞાનિકોને મળ્યા અને 23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ બદલ અભિનંદન આપ્યા.

ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, 'ભારત આવવા પર હું સૌથી પહેલા તમને સલામ કરવા માંગતો હતો. અને ચંદ્ર પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે તેમને અભિનંદન આપવા માંગતો હતો. હું વિદેશમાં હતો પણ મારું મન અહીં હતું'
પીએમ મોદીએ કહ્યું, "આજે હું એક અલગ જ સ્તરની ખુશી અનુભવી રહ્યો છું. આવી તકો બહુ ઓછી મળે છે. આ વખતે હું ખૂબ જ બેચેન હતો. હું દક્ષિણ આફ્રિકામાં હતો પણ મારું મન તમારી સાથે હતું."
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "23મી ઓગસ્ટનો એ દિવસ, એ એક-એક ક્ષણ, એ સેકન્ડ મારી નજર સામે ફરી ફરી રહી છે." વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ''જે જગ્યાએ ચંદ્રયાન-3નું મૂન લેન્ડર લેન્ડ થયુ, તે જગ્યા 'શિવ શક્તિ' તરીકે ઓળખાશે.''
#WATCH | The spot where Chandrayaan-3’s moon lander landed, that point will be known as ‘Shivshakti’, announces Prime Minister Narendra Modi at ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex in Bengaluru pic.twitter.com/1zCeP9du8I
— ANI (@ANI) August 26, 2023
પીએમ મોદીએ કહ્યું, ભારત 23 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરશે, જે દિવસે ચંદ્ર પર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ દિવસ આપણને હંમેશા પ્રેરણા આપતો રહેશે.
પીએમ મોદીએ કહ્યું, ચંદ્રયાન 3માં મહિલા વૈજ્ઞાનિકોએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ 'શિવ શક્તિ' બિંદુ આવનારી પેઢીઓને પ્રેરણા આપશે કે આપણે વિજ્ઞાનનો ઉપયોગ માનવતાના કલ્યાણ માટે જ કરવાનો છે. માનવતાનું કલ્યાણ એ આપણી સર્વોચ્ચ પ્રતિબદ્ધતા છે.
#WATCH | ..."Experts say that in a few years, India's space industry will become billion from billion...": PM Modi at ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex in Bengaluru pic.twitter.com/uOWqY2cREF
— ANI (@ANI) August 26, 2023
પીએમ મોદીએ કહ્યું કે નિષ્ણાતો કહે છે કે થોડા વર્ષોમાં ભારતનો અવકાશ ઉદ્યોગ $8 બિલિયનથી વધીને $16 બિલિયન થઈ જશે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
