ગણેશ ચતુર્થી પર પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને પાઠવી શુભકામના
દેશભરમાં મનાવવામાં આવી રહેલ ગણેશ ચતુર્થીના પર્વ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે દેશવાસીઓને શુભકામના આપી અને ચારે તરફ પ્રસન્નતા અને સમૃદ્ધિની કામના કરી.
નવી દિલ્લીઃ દેશભરમાં મનાવવામાં આવી રહેલ ગણેશ ચતુર્થીના પર્વ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે દેશવાસીઓને શુભકામના આપી અને ચારે તરફ પ્રસન્નતા અને સમૃદ્ધિની કામના કરી. પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યુ, 'ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ પર શુભકામા. ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ આપણા સૌ પર રહે. ચારેકોર ખુશી અને સમૃદ્ધિ હોય.' તેમણે લખ્યુ, 'તમને સૌને ગણેશુ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છા. ગણપતિ બાપ્પા મોરયા.'

પીએમ મોદી ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી. રાષ્ટ્રપતિના અધિકૃત ટ્વિટર હેન્ડલથી શનિવારે ટ્વિટ કર્યુ, 'ગણેશ ચતુર્થીના શુભ અવસર પર બધા દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. આ પર્વ ભારતના લોકોના અદમ્ય ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસનુ પ્રતીક છે. મારી કામના છે કે વિઘ્નહર્તા શ્રી ગણેશજીની કૃપાથી કોવિડ-19ની મહામારી સમાપ્ત થાય અને બધા દેશવાસી સુખી અને નિરોગી જીવન જીવે.'
રાષ્ટ્રપતિ ઉપરાંત રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને દેશને આ પવિત્ર પર્વ પર શુભકામના આપી. તેમણે લખ્યુ, 'મંગલકર્તા-વિઘ્નહર્તાના આશીષની આજે આખા દેશને જરૂર છે. તમને સૌને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ.' તમને જણાવી દઈએ કે આજે ગણેશ ચતુર્થીનો પર્વ દેશભરમાં મનાવવામાં આવી રહ્યો છે. શાસ્ત્રો અનુસાર વિઘ્નહર્તા શ્રી ગણેશ ભગવાનનો જન્મ ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ થયો હતો. આ તિથિને શ્રી ગણેશોત્સવ તરીકે મનાવવામાં આવે છે અને આને ગણેશ ચતુર્થી કે વિનાયક ચતુર્થી પણ કહેવામાં આવે છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન






Click it and Unblock the Notifications
