PM મોદી 10 રાજાજી માર્ગ જઈને પ્રણવ દાને આપી શ્રદ્ધાંજલિ
પ્રધાનમંત્રી મોદી પણ 10 રાજાજી માર્ગ પહોંચ્યા અને તેમણે પ્રણવ મુખર્જીના ફોટા પર શ્રધ્ધાસુમન અર્પિત કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
નવી દિલ્લીઃ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સોમવારે દુનિયાને અલવિદા કહી દીધી, તે લાંબી બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે 84 વર્ષના પ્રણવ મુખર્જીની હાલમાં જ બ્રેઈન સર્જરી થઈ હતી ત્યારબાદથી તે ઉંડા કોમામાં હતા. તે કોરોના સંક્રમિત પણ હતા પરંતુ તમામ કોશિશો છતાં પ્રણવ દાને બચાવી શકાયા નહિ. દેશના લોકપ્રિય નેતા પ્રણવ મુખર્જીના નિધનથી રાજકીય ગલીઓમાં શોકની લહેર દોડી ગઈ છે. કેન્દ્ર સરકારે ભારત રત્ન પ્રણવ મુખર્જીના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોકની ઘોષણા કરી છે.

PM મોદીએ આપી ભાવભીની શ્રદ્ધાંજલિ
આજે દિલ્લીમાં બપોરે 2.30 વાગે લોધી સ્મશાન ઘાટ પર પ્રણવ દાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અત્યારે તેમના આવાસ પર લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી રહ્યા છે જેમાં ઘણા રાજનેતા પણ શામેલ છે. પ્રધાનમંત્રી મોદી પણ 10 રાજાજી માર્ગ પહોંચ્યા અને તેમણે પ્રણવ મુખર્જીના ફોટા પર શ્રધ્ધાસુમન અર્પિત કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પ્રણવ દાને પિતા તુલ્યા માનતા હતા પીએમ મોદી
તમને જણાવી દઈએ કે વિરોધી પક્ષના હોવા છતાં પ્રણવ દાના દેશના પીએમ મોદી સાથે ઘણા મધુર સંબંધ રહ્યા, મોદી માટે પ્રણવ દા પિતા તુલ્ય હતા, તેમના નિધન પર ઉંડો શોક પ્રકટ કરીને પીએમ મોદીએ કહ્યુ કે તેમણે આપણા દેશના વિકાસ પથ પર એક અમિટ છાપ છોડી છે. એક વિદ્વાન વ્યક્તિ ઉત્કૃષ્ટતા, એક વિશાલ રાજનેતા, તે રાજનીતિક સ્પેક્ટ્રમ અને સમાજના બધા વર્ગો દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી, તેમનુ જવુ ઘણુ દુઃખદ છે.

'પ્રણવ મુખર્જી ખૂબ જ ઉદાર અને દયાળુ હતા'
પ્રણવ મુખર્જીના નિધન પર પશ્ચિમ બંગાળની મમતા સરકારે પણ આજે રાજ્યમાં એક દિવસનો શોક ઘોષિત કર્યો છે માટે આજે બધા સરકારી કાર્યાલય બંધ છે. રાજ્ય પોલિસ દિવસ સમારંભ પણ 2 સપ્ટેમ્બર માટે સ્થગિત કરી દેવામાં આવ્યો છે. વળી, આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પ્રણવ મુખર્જીના નિધન પર શોક વ્યક્ત કરીને કહ્યુ કે તેમના જવાથી એક ખાલીપણા જેવુ આવી ગયુ છે. તે ઉદાર અન દયાળુ હતા જે વાતચીત દરમિયાન એ વ્યક્ત નહોતા થવા દેતા કે ભારતના રાષ્ટ્રપતિ સાથે વાત કરી રહ્યા છે, પારકાને પોતાના બનાવવુ તેમને ખૂબ જ સરસ આવડતુ.

ભારત રત્નથી સમ્માનિત હતા પ્રણવ મુખર્જી
પ્રણવ મુખર્જીએ પહેલી વાર જુલાઈ 1969માં રાજ્યસભા માટે ચૂંટવામાં આવ્યા હતા. ત્યારબાદ તે 1975, 1981, 1993 અને 1999માં રાજ્યસભા માટે ચૂંટવામાં આવ્યા. તે 1980થી 1985 સુધી રાજ્યમાં સંસદના નેતા પણ રહ્યા. મુખર્જીએ મે 2004માં લોકસભા ચૂંટણી જીતી અને ત્યારથી એ સંસદના નેતા હતા. માનવામાં આવે છે કે યુપીએ સરકારમાં પ્રણવ મુખર્જી પાસે સૌથી વધુ જવાબદારીઓ હતી. તેમણે નાણા મંત્રાલય સંભાળવા ઉપરાંત ઘણા મંત્રીમંડળ સમૂહનુ નેતૃત્વ પણ કર્યુ. પ્રણવ દાને લોકો આસમાની વ્યક્તિત્વવાળા નેતા કહેતા હતા કે જે જમીન સાથે જોડાયેલા રહેતા. કોંગ્રેસના સંકટમોચક કહેવાતા પ્રણવ મુખર્જી દેશના 13માં રાષ્ટ્રપતિ હતા, વર્ષ 2019માં તેમને ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
