PM મોદીએ ગણપતિ બાપ્પાની કરી આરતી, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના ઘરે ગણેશ ઉત્સવમાં થયા શામેલ
ગણેશ ચતુર્થીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના ઘરે ગણેશ ઉત્સવમાં હાજરી આપી હતી.
નવી દિલ્લીઃ ગણેશ ચતુર્થીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના ઘરે ગણેશ ઉત્સવમાં હાજરી આપી હતી. ત્યાં તેમણે ભગવાન ગણેશની આરતી કરી. વળી, પીએમ મોદીએ સંસ્કૃત શ્લોક દ્વારા આ ખાસ અવસર પર અભિનંદન આપ્યા. બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજધાનીમાં કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી અને ગણેશ ચતુર્થીના અવસર પર 'આરતી' કરી હતી. પીએમએ અગાઉ ગણેશ ચતુર્થીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

સંસ્કૃત શ્લોકથી પર્વની શુભકામના
વડાપ્રધાને તેમની શુભકામનાઓ પાઠવતો સંસ્કૃત શ્લોક શેર કર્યો અને ટ્વિટર પર લખ્યુ, "હેપ્પી ગણેશ ચતુર્થી. ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે.'

10 દિવસનો ગણેશ ઉત્સવ શરુ
દસ દિવસીય ગણેશ ઉત્સવ ગણેશ ચતુર્થીના દિવસે શરૂ થાય છે અને અનંત ચતુર્દશીના દિવસે સમાપ્ત થાય છે. જ્ઞાન અને સૌભાગ્યના દેવતા ભગવાન ગણેશના ભક્તો ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષ દરમિયાન તેમના જન્મની ઉજવણી કરે છે. આ ખાસ અવસર પર લોકો પોતાના ઘરે ભગવાન ગણેશની મૂર્તિઓ લાવે છે, વ્રત રાખે છે, વાનગીઓ તૈયાર કરે છે.

દેશના મોટા નેતાઓએ કરી મંગલ કામના
વડાપ્રધાન ઉપરાંત દેશના તમામ ટોચના નેતાઓએ આ અવસર પર શુભકામનાઓ પાઠવી છે. મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ ગણેશ ચતુર્થીના અવસર પર શુભેચ્છા પાઠવી હતી. તેમણે દેશના નાગરિકોના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિની કામના કરી.

રાષ્ટ્રપતિ મુર્મૂએ કર્યુ ટ્વિટ
રાષ્ટ્રપતિએ પોતાના ટ્વીટમાં લખ્યુ, 'તમામ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામના. મંગલમૂર્તિ ભગવાન ગણેશ જ્ઞાન, સિદ્ધિ અને સૌભાગ્યનુ પ્રતીક છે. હું ઈચ્છુ છુ કે શ્રી ગણેશના આશીર્વાદથી દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ફેલાય.' બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના ટ્વીટમાં લખ્યુ કે, 'તમામ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ. ગણપતિ બાપ્પા મોરિયા!'
PM Modi performs 'aarti' at Piyush Goyal's residence on Ganesh Chaturthi
— ANI Digital (@ani_digital) August 31, 2022
Read @ANI Story | https://t.co/GQa7398yP6#GaneshChaturthi #GaneshChaturthi2022 #PMModi #NarendraModi pic.twitter.com/9vQZXBNPwY
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ








Click it and Unblock the Notifications
