Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લાલ કિલ્લા પર પીએમ મોદીએ સંભળાવી કવિતા, ‘અંબર સે ઉંચા જાના હે'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના 72 માં સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે આજે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યુ. આ પ્રસંગે પીએમ મોદીએ સરકારની તમામ યોજનાઓ પણ ગણાવી અને ઘણા મોટા એલાન પણ કર્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના 72 માં સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે આજે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યુ. આ પ્રસંગે પીએમ મોદીએ સરકારની તમામ યોજનાઓ પણ ગણાવી અને ઘણા મોટા એલાન પણ કર્યા. પીએમ મોદીએ પોતાના 82 મિનિટના ભાષણમાં વિપક્ષ પર ઘણા હુમલા કર્યા અને જણાવ્યુ કે કેવી રીતે 2013 ની તુલનામાં છેલ્લા ચાર વર્ષોમાં તેમની સરકારે વિકાસને નવી ગતિ આપી છે. પોતાના ભાષણના અંતમાં પીએમ મોદીએ એક કવિતા સંભળાવી અને ભાષણને વિરામ આપ્યો.

pm modi

પીએમ મોદીની કવિતા

અપને મનમે એક લક્ષ્ય લિએ
મંઝિલ અપની પ્રત્યક્ષ લિએ
હમ તોડ રહે હે ઝંઝીરે
હમે બદલ રહે હે તસવીરેં
યહ નવયુગ હે
યહ નવભારત હે
ખુદ લિખેંગે અપની તકદીર
હમ બદલ રહે હે
અપની તસવીર
હમ નિકલ પડે હે પ્રણ કરકે
અપના તનમન અર્પણ કરકે
જિદ હે, એક સૂર્ય ઉગાના હે
અંબર સે ઉંચા જાના હે
એક ભારત નયા બનાના હે

બળાત્કાર પીડિતાઓ માટે વ્યક્ત કર્યુ દુઃખ

પીએમ મોદીએ પોતાના ભાષણ દરમિયાન કહ્યુ કે બળાત્કાર પીડિતાઓના દુઃખને પણ વહેંચ્યુ અને આ દરમિયાન કહ્યુ કે બળાત્કાર પીડાદાયક છે પરંતુ બળાત્કારની જેટલી પીડા તે દિકરીને થાય છે તેનાથી લાખો ગણી પીડા આપણને થવી જોઈએ. આ રાક્ષસી મનોવૃત્તિથી દેશને મુક્ત કરવો પડશે. કાયદો પોતાનું કામ કરી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં એમપીમાં પાંચ દિવસોમાં બળાત્કારીઓને સજા સંભળાવવામાં આવી છે. એ જ રીતે રાજસ્થાનમાં પાંચ દિવસમાં બળાત્કારીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આ સમાચારોને જેટલી પ્રસારિત કરવામાં આવશે એટલી જ રાક્ષસી વૃત્તિની માનસિકતાને નુકશાન પહોંચશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X