Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Mann Ki Baat Highlights: પીએમ મોદીએ અમૃત મહોત્સવ, આયુષ્માન ભારતની કરી વાત

Mann Ki Baat Highlights: પીએમ મોદીએ અમૃત મહોત્સવ, આયુષ્માન ભારતની કરી વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરી એકવાર પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા. આ રેડિયો કાર્યક્રમ આજે સવારે 11 વાગ્યે પ્રસારિત થયો. આ કાર્યક્રમને ટીવી, ફેસબુક, ટ્વિટર પેજ અને મોબાઈલ એપ પર પણ લાઈવ પ્રસારિત કરવામાં આવ્યો. જણાવી દઈએ કે આજે મન કી બાતનું 83મું સંસ્કરણ હતું. જણાવી ઈએ કે આ કાર્યક્રમ દરેક મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે.

pm modi

મન કી બાતનો મુખ્ય અંશ

  • કોરોના હજી ગયો નથી, સાવધાની રાખોઃ પીએમ મોદી
  • બાબા સાહેબ પુણ્ય તિથિ પર પીએમ મોદીએ અમૃત મહોત્સવને સફળ બનાવવાનો પ્રણ લીધો. તેમણે કહ્યું કે સૌકોઈએ બાબા સાહેબજીએ જણાવેલા માર્ગનું પાલન કરવું જોઈએ તેઓ એક મહાન વ્યક્તિ હતા.
  • પ્રકૃતિનું રક્ષણ કરો તે આપણને સંરક્ષણ આપશેઃ પીએમ મોદી
  • ડિસેમ્બર મહિને નેવી ડે અને આર્મ્ડ ફોર્સ ફ્લેગ ડે માનાવાય છે. આપણને બધાને ખબર છે કે 16 ડિસેમ્બરને 1971ના યુદ્ધની સ્વર્ણિમ જંયતી વર્ષ તરીકે પણ મનાવાય છે. હું આ બધા અવસરો પર દેશના સુરક્ષા બાળોનું સ્મરણ કરું છું, આપણા વીરોનું સ્મરણ કરું છુંઃ પીએમ મોદી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત પરિવહન માટે ડ્રોનનો ઉપયોગ કરી કામ કરી રહ્યું છે, જેમાં ઘરોમાં સામાનની ડિલીવરી અને આપાત સ્થિતિ દરમિયાન સહાયતા કાનૂન વ્યવસ્થાની દેખરેખ સામેલ છે. તેમણે કહ્યું કે જલદી જ આવી તમામ જરૂરતો માટે ડ્રોન તહેનાત કરવામાં આવશે.
  • યુવાનોથી સ્મૃદ્ધ દરેક દેશમાં ત્રણ ચીજો બહુ મહત્વ ધરાવે છે. પહેલી ચીજ- આઈડિયા અને ઈનોવેશન. બીજી- જોખમ લેવાનું ઝુનૂન. ત્રીજું છે- Can Do Spirit, જ્યારે આ ત્રણ વસ્તુ તમારામાં મળે છે ત્યારે અભૂતપૂર્વ પરિણામ મળે છે.
  • હું આજે પણ સત્તામાં નથી, હું કાલે પણ સત્તામાં જવા નથી માંગતો. હું માત્ર સેવક થઈને રહેવા માંગું છુંઃ આયુષ્માન યોજના અંતર્ગત એક લાભાર્થીને બોલ્યા પીએમ મોદી
  • પીએમ મોદીએ 'મન કી બાત'માં આયુષ્માન યોજના વિશે જણાવ્યું.
  • પાછલા દિવસોમાં દિલ્હીમાં 'આઝાદીની કહાની- બાળકોની જુબાની' કાર્યક્રમમાં બાળકોએ સ્વાધીનતા સંગ્રામ સાથે જોડાયેલ કથાઓને પ્રસ્તુત કરી. ખાસ વાત એ રહી કે આમાં ભારત સાથે નેપાળ, મોરિસિયસ, તંજાનિયા, ન્યૂઝિલેન્ડ અને ફીજીના વિદ્યાર્થીઓ પણ સામેલ થયા.
  • સરકારો, પંચાયતોથી લઈ સંસદ સુધી અમૃત મહોત્સવની ગૂંઝ છે અને સતત આ મહોત્સવ સાથે જોડાયેલ કાર્યક્મરનો સિલસિલો ચાલી રહ્યો છેઃ પીએમ મોદી
  • વીરતા માત્ર યુદ્ધના મેદાનમાં જ જોવા મળે તે જરૂરી નથી હોતું. જ્યારે વિરતાનો વિસ્તાર થાય છે ત્યારે દરેક ક્ષેત્રમાં અનેક કાર્યો સિદ્ધ થવા લાગે છેઃ પીએમ મોદી
  • આઝાદીનો અમૃત મહોત્સવ દેશ માટે કંઈક કરી દેખાડવાની પ્રેરણા આપે છેઃ પીએમ મોદી
  • AmritMahotsav કળા, સંસ્કૃતિ, ગીતો અને સંગીતોના રંગોથી ભરેલો હોવો જોઈએઃ પીએમ મોદી
  • મન કી બાત માં પીએમ મોદીએ અમૃત મહોત્સવનો ઉલ્લેખ કર્યો.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X