આજે ક્રિપ્ટો કરન્સી પર બીજી બેઠક કરવા જઈ રહ્યા છે પીએમ મોદી, આવી શકે છે બિલ
ક્રિપ્ટો કરન્સીનુ ચલણ ઝડપથી વધી રહ્યુ છે. ભારતમાં પણ આમાં રોકાણ કરનાર લોકોની સંખ્યા વધી રહી છે જેના કારણે હવે મોદી સરકાર આને ગંભીરતાથી લઈ રહી છે.
નવી દિલ્લીઃ ક્રિપ્ટો કરન્સીનુ ચલણ ઝડપથી વધી રહ્યુ છે. ભારતમાં પણ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનાર લોકોની સંખ્યા વધી રહી છે જેના કારણે હવે મોદી સરકાર તેને ગંભીરતાથી લઈ રહી છે. 13 નવેમ્બરે આ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મોટી બેઠક થઈ હતી. હવે બે દિવસ બાદ સોમવારે એટલે કે આજે(15 નવેમ્બર) ક્રિપ્ટો કરન્સી પર ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેઠક કરશે. જેમાં રિઝર્વ બેંક, નાણા મંત્રાલય અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ શામેલ રહેશે. સરકાર પહેલેથી જ આ મુદ્દે દુનિયાભરના વિશેષજ્ઞો સાથે ચર્ચા-વિચારણા કરી ચૂકી છે.

રિપોર્ટસ મુજબ સરકાર આગામી શીતકાલીન સત્રમાં ક્રિપ્ટો કરન્સી પર વ્યાપક બિલ લાવવાની તૈયારી કરી રહી છે. સોમવાર એટલે કે આજે આર્થિક બાબતોની સ્થાયી સમિતિ બેઠક છે. જેમાં ક્રિપ્ટો કરન્સીના બધા પાસાંઓ પર ચર્ચા થશે. કેન્દ્રીય બેંક આરબીઆઈએ પહેલા જ પોતાનુ વલણ સરકાર સામે સ્પષ્ટ કરી દીધુ છે. રિઝર્વ બેંક ગવર્નર શક્તિકાંત દાસના જણાવ્યા મુજબ ડિજિટલ કરન્સી માટે ગંભીર ચિંતાઓ છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. સાથે જ રોકાણકારોએ પણ આ અંગે સતર્ક રહેવાની જરુર છે.
ક્રિપ્ટો પર લાગે ટેક્સ?
ક્રિપ્ટો કરન્સીનુ બજાર અનિયંત્રિત છે. સાથે જ તેનો આખો હિસાબ પણ સરકાર પાસે નથી રહેતો, જેના કારણે ચિંતાઓ વધી ગઈ છે. ભારતમાં પણ ઘણા ડિજિટલ પ્લેટફૉર્મ છે જ્યાં ક્રિપ્ટો કરન્સીને સરળતાથી ખરીદવા અને વેચવામાં આવી રહ્યુ છે. ક્રિપ્ટો કરન્સીના લાભ પર ટેક્સ પણ નથી લાગી રહ્યો. અમુક રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર હવે ક્રિપ્ટો કરન્સી પર ટેક્સ લગાવવાનુ પ્લાન કરી રહી છે. જો કે હજુ તેની અધિકૃત પુષ્ટિ થઈ શકી નથી.
શું છે ક્રિપ્ટો કરન્સી?
ક્રિપ્ટો કરન્સી એક પ્રકારની વર્ચ્યુઅલ કરન્સી છે જે તમારા ડિજિટલ વૉલેટમાં રહે છે. સામાન્ય રૂપિયાની જેમ તમે તેને નોટ કે સિક્કા તરીકે નથી રાખી શકતા. તે સંપૂર્ણપણે ઑનલાઈન છે. ખાસ વાત એ છે કે ક્રિપ્ટો કરન્સીના ભાવ ખૂબ ઝડપથી વધે-ઘટે છે. જેના કારણે એક્સપર્ટ તેમાં સમજી-વિચારીને રોકાણ કરવાની સલાહ આપે છે. વળી, ટેરર ફંડિંગ, કાળા નાણા અને ખંડણીમાં પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ











Click it and Unblock the Notifications
