PM મોદી આવતીકાલે પ્રયાગરાજ જશે, 2.5 લાખ મહિલાઓને આપશે મોટી ભેટ!
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે પ્રયાગરાજમાં મહિલા શક્તિનું સન્માન કરશે અને ભેટ આપશે. સંગમ વિસ્તારમાં પરેડ ગ્રાઉન્ડમાં પીએમ મોદીના કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
પ્રયાગરાજ, 20 ડિસેમ્બર : વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે પ્રયાગરાજમાં મહિલા શક્તિનું સન્માન કરશે અને ભેટ આપશે. સંગમ વિસ્તારમાં પરેડ ગ્રાઉન્ડમાં પીએમ મોદીના કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 21 ડિસેમ્બરે યોજાનાર વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં રાજ્યની લગભગ 2.5 લાખ મહિલાઓ ભાગ લેશે. કાર્યક્રમમાં ભાગ લેનારી મહિલાઓ માટે અલગ-અલગ 41 શાળાઓમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા મહિલાઓના આરોગ્યની દેખરેખ માટે 41 ટીમો બનાવવામાં આવી છે. દરેક ટીમમાં બે આરોગ્ય કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે ત્રણ કેન્દ્રો પર એક ડૉક્ટરને નોડલ બનાવવામાં આવ્યા છે, જેથી મહિલાઓને જરૂર પડ્યે આરોગ્ય સેવાઓ પૂરી પાડી શકાય.

પ્રયાગરાજ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી પરેડ ગ્રાઉન્ડમાં 20 થી 25 મહિલાઓ સાથે અલગથી વાતચીત કરશે. આ માટે મુખ્ય સ્ટેજની બાજુમાં અલગ પંડાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. મહિલાઓની પસંદગી કરવામાં આવી રહી છે. તેમને તાલીમ પણ આપવામાં આવશે. આ અવસર પર પીએમ મોદી 1.60 લાખ સ્વ-સહાય જૂથોના ખાતામાં એક હજાર કરોડ રૂપિયા મોકલશે.
મોટી વાત એ છે કે લગભગ 16 લાખ મહિલાઓને આ રકમનો સીધો ફાયદો થશે. આ સિવાય પીએમ મોદી મહિલા સ્વ-સહાય જૂથો દ્વારા સંચાલિત 202 પોષણ ઉત્પાદન એકમોનો શિલાન્યાસ પણ કરશે. પીએમ CM કન્યા સુમંગલા યોજના હેઠળ 1.01 લાખ લાભાર્થીઓને 20.20 કરોડ રૂપિયાની રકમ આપશે. આ રકમ તેના બેંક ખાતામાં જ જશે.
ઉલ્લેખનિય છે કે, હવે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે. હાલ યુપીમાં ભાજપની ખુરશી હલી રહી હોવાથી મોદી-યોગી યુપી પર વિશેષ ધ્યાન આપી રહ્યાં છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
