આજે સવારે 9 વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે પીએમ મોદી, કોરોના કાળમાં 11મી વાર વાત કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 9 વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે. પીએમઓ તરફથી આ માહિતી આપવામાં આવી છે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 9 વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે. પીએમઓ તરફથી આ માહિતી આપવામાં આવી છે. કોરોના કાળમાં પીએમ મોદીનુ આ 11મુ સંબોધન છે. પીએમ મોદી આજે ત્રણ દિવસ માટે યુપીના પ્રવાસ માટે પણ રવાના થવાના છે. પીએમઓ તરફથી ટ્વિટ કરીને જણાવવામાં આવ્યુ છે કે આજે ગુરુ નાનકજીનુ પ્રકાશ પર્વ છે. આજે પીએમ મોદી સિંચાઈ પરિયોજનાઓનુ લોકાર્પણ કરવા માટે યુપીના મહોબામાં જશે. પછી સાંજે તે ઝાંસીમાં રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વમાં જોડાશે અને જતા પહેલા તે સવાર 9 વાગે રાષ્ટ્રના નામે સંદેશ આપશે.

PM મોદીના યુપી પ્રવાસના પહેલા દિવસનો કાર્યક્રમ
પીએમ મોદી ત્રણ દિવસના યુપી પ્રવાસના પહેલા દિવસે એટકે કે આજે(19 નવેમ્બર) બુંદેલખંડના મહોબા અને ઝાંસી જશે.
પીએમ મોદી બપોરે 2.15 વાગે મહોબા પહોંચશે અને અર્જૂન સહાયક પરિયોજનાઓ સહિત ઘણી ભેટ આપશે.
અર્જૂન સહાયક પરિયોજનાના ઉદઘાટના બાદ પીએમ મોદી જનસભાને સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી મોદી બપોરે 3.45 વાગે મહોબાના ઝાંસી માટે રવાના થશે.
પીએમ મોદી સાંજે 4.45 વાગે ઝાંસી પહોંચશે.
પીએમ મોદી ઝાંસીની રાની લક્ષ્મીબાઈની જયંતિના પ્રસંગે ઝાંસીના કિલ્લામાં હાજર રહેશે અને કિલ્લામાં લાઈટ અને સાઉન્ડ શો પણ જોશે.
ઝાંસીમાં પીએમ મોદી મોડી સાંજે એક જનસભાને પણ સંબોધિત કરશે.
19 નવેમ્બરની રાતે પીએમ મોદી યુપીની રાજધાની લખનઉમાં રોકાશે.
आज गुरु नानक जी का प्रकाश पर्व है।
— PMO India (@PMOIndia) November 19, 2021
आज पीएम @narendramodi सिंचाई परियोजनाओं का लोकार्पण करने यूपी के महोबा जाएंगे।
फिर शाम को वो झांसी में राष्ट्र रक्षा समर्पण पर्व में सम्मिलित होंगे।
जाने से पहले वो सुबह 9 बजे राष्ट्र के नाम संदेश देंगे।












Click it and Unblock the Notifications
