નવા વર્ષે પીએમ મોદી કેદારનાથ જશે, ફુલોથી મંદિરને શણગારવામાં આવ્યું!
PM નરેન્દ્ર મોદી 5 નવેમ્બરે કેદારનાથ જશે. પીએમની મુલાકાત પહેલા કેદારનાથમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દિવાળીના અવસર પર કેદારનાથ મંદિરને 8 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે.
PM નરેન્દ્ર મોદી 5 નવેમ્બરે કેદારનાથ જશે. પીએમની મુલાકાત પહેલા કેદારનાથમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દિવાળીના અવસર પર કેદારનાથ મંદિરને 8 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. પીએમ મોદી કેદારનાથ મંદિરમાં પ્રાર્થના કરશે અને ત્યારબાદ શ્રી આદિ શંકરાચાર્ય સમાધિનું ઉદ્ઘાટન કરી આદિ શંકરાચાર્યની મૂર્તિનું અનાવરણ કરશે. પીએમ મોદી કેદારનાથ ધામમાં 2 કલાક રોકાશે. પીએમ મોદી આ મુલાકાત દરમિયાન લોકોને સંબોધિત પણ કરશે. ન્યૂઝ એજન્સી ANIને કેદારનાથ આવેલા એક ભક્તે કહ્યું કે, વર્ષ 2013 પછી પીએમ મોદીએ આ સ્થાન પર ઘણા વિકાસ કાર્યો કર્યા છે. હું ઇચ્છું છું કે કેદારનાથમાં કેટલીક હોટલો બનાવવામાં આવે.

અન્ય એક ભક્તે કહ્યું કે, હું 2011થી દર વર્ષે કેદારનાથ આવું છું. વર્ષ 2013 પછી અહીં ઘણો વિકાસ થયો છે. લોકોને રોજગારી પણ મળી રહી છે. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદી સંગમ ઘાટના પુનઃવિકાસ, પ્રાથમિક સારવાર અને પ્રવાસી સુવિધા કેન્દ્ર, એડમિન ઓફિસ અને હોસ્પિટલ, બે ગેસ્ટ હાઉસ, પોલીસ સ્ટેશન, કમાન્ડ એન્ડ કંટ્રોલ સહિત 180 કરોડના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. કેન્દ્ર, મંદાકિની આસ્થાપથ કતાર વ્યવસ્થાપન, રેઈન શેલ્ટર અને સરસ્વતી નાગરિક સુવિધા ભવનનો સમાવેશ થાય છે.
પીએમ મોદી સરસ્વતી આસ્થાપથની કામગીરીની પણ સમીક્ષા કરશે. પીએમ મોદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે, જે પૂર્ણ થઈ ગઈ છે. જેમાં સરસ્વતી રિટેનિંગ વોલ આસ્થાપથ અને ઘાટ, મંદાકિની રિટેઈનિંગ વોલ અસ્થાપથ, તીર્થ પુરોહિત હાઉસ અને મંદાકિની નદી પર ગરુડ ચટ્ટીનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
પીએમ મોદી વિશેષ વિમાન દ્વારા દિલ્હીથી દેહરાદૂન પહોંચશે. આ પછી ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ ધામ જશે. પહેલા બાબા કેદારની વિશેષ પૂજાનો કાર્યક્રમ છે. ત્યારબાદ આદિ શંકરાચાર્ય સમાધિ અને પ્રતિમાનું અનાવરણ કરશે. 2013 ના વિનાશક પૂરમાં સમાધિની સાથે બધું જ નાશ પામ્યું હતું, પરંતુ હવે તે ફરીથી બનાવવામાં આવી રહ્યું છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
