પ્રધાનમંત્રી ગુજરાતના એક દિવસના પ્રવાસે, સહકાર સમેલનમાં આપશે હજરી
ભારતીય જનતા પાર્ટીએ હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મતદાતાઓને આકર્ષવાનો પ્રયાસ શરૂ કર્યો છે. પ્રધાનંમંત્રી મહિનાના અંતમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતના પ્રવાસે કરશે. ભાજપ શ
ભારતીય જનતા પાર્ટીએ હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મતદાતાઓને આકર્ષવાનો પ્રયાસ શરૂ કર્યો છે. પ્રધાનંમંત્રી મહિનાના અંતમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતના પ્રવાસે કરશે. ભાજપ શાસિત બને રાજ્યોમાં વર્ષ અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજવા જઇ રહી છે. આ ચૂંટણીમાં દિલ્હી અને પંજામાં સત્તા મેળવનાર આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડશે.
ટ્રિબ્યનની રિપોર્ટ અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 મેના રોજ ગુજરાત અને 31 મે ના રોજ હિમાચલ પ્રદેશનો પ્રવાસ કરશે. નેતાઓ. ભાજપ શાસિત પ્રદેશોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડવામાં આવશે. હાલમાં 5 રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાંથી 4 રાજ્યોમાં ભાજપને જીત મળી હતી. જ્યારે એક રાજ્યમાં આમ આદમી પાર્ટીને સત્તા મેળવી હતી.
આજે યોજાયેલી ભાજપની પ્રદેશ કારોબારીમાં વિધાનસભાની ચૂંટણીમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓને લાભાર્થીઓ સુધી પહોચાડવા તેમજ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી માટેનો હજી સુધી કોઇ ચહેરો પસંદ કરી શકાયો નથી આવા સંજોગોમાં પ્રધાનમત્રીના નામે જ ચૂંટણી લડવાનું નકકી કરવામાં આવ્યું છે.
રાજ્યમાં યોજાનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત માટે કોઇ મોટી જાહેરાત કરી શકે છે. બીજી તરફ પ્રધાનમંત્રીને કાર્યક્રમને સંપૂર્ણ સફળ બનાવા માટે સંગઠન અને સરકાર બને કામે લાગ્ય છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનાર સહકાર સમેલનમાં સહકાર મંત્રી અમિત શાહ પણ હાજર રહેશે.