PM Modi Varanasi Visit: પીએમ મોદી આજે વારણસીના પ્રવાસે, જાણો શુ છે એજેન્ડા
PM Narendra Modi Varanasi Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ શુ્ક્રવારે વારાણસીના પ્રવાસે જશે. વારાણસીના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1780 કરોડો રૂપિયાના અલગ અલગ પરીયોજનાઓનુ લોકાર્પણ અને શિલાન્યાસ કરવા માટે વારાણસીમાં રહેશે. સવારે અંદાજે 10:30 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રુદ્રાક્ષ કન્વેશન સેન્ટરમાં વન વર્લ્ડ ટીવી રમિટને સંબોધિત કરશે.

બપોરના અંદાજે 12 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંપૂર્ણનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય મૈદાનમાં 1780 કરોડ રૂપિયા કરતા વાધારેના અલગ અળગ પરિયોજનાનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વ ક્ષય રોગ દિવસના અવસર પર એક વિશ્વ ટીબી શિખર સમ્મેલનને પણ સંબોધિત કરશે. આ શિખર સમ્મેલન સ્વાસ્થ્ય અે પરીવાર કલ્યાણ મંત્રાલય અને સ્ટોપ ટીબી પર્ટનરશીપ દ્વારા આયોજીત કરવામાં આવી રહી છે.
2001 માં સ્થાપિત સ્ટોપ ટીબી પાર્ટનરશીપ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા હોસ્ટ કરવામાં આવેલ સંગઠન છે. જે ટીબીથી પ્રભાવીત લોકો, સમુદાયો અને દેશોની આવાજને પ્રોત્સાહીત કરે છે.
આયોજન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટીબી મુક્ત પંચાયત પહેલ સહિત અલગ અળગ પહોલોનું શુભારંભ કરાવશે. આ દરમિયાન પીએમ મોદી નાના ટીબી નિવારક ઉપચાર અને ટીબી માટે પરિવાર કેન્દ્ર દેખબાલ મોડલનુ અધિકારીક પૈન ઇન્ડિયા રોલઆઉટ પણ જનતા સામે રાખશે. માર્ચ 2018 માં નવી દિલ્હીમાં આોયોજીત એંડ ટીબી શિખર સમ્મેલન દરમિયાન પીએમ મોદીએ નિર્ધારીત સમય પહેલા પાચં વર્ષ પહેલા 2025 સુધીમાં ટીબી સંબંધીત એસડીજી લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભારતને આહ્વાન કર્યુ હતુ.












Click it and Unblock the Notifications
