Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PM મોદીનું 'મન કી બાત'માં સંબોધન, તહેવારમાં સ્વદેશી વસ્તુ ખરીદવાની કરી અપીલ

Mann Ki Baat: PM નરેન્દ્ર મોદીએ રવિવારે રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'(Mann Ki Baat) ના 126માં એપિસોડથી દેશને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે દેશની સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક ઓળખ અપાવવાની, સ્વદેશી ઉત્પાદનોને અપનાવવાની અને નારી શક્તિ સાથે નૌસેનાના પરાક્રમની પ્રશંસા કરી.

Mann Ki Baat

Mann Ki Baat: PM નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના 126મા એપિસોડ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું. આજે ભારતના મહાન ક્રાંતિકારી અને સ્વતંત્રતા સેનાની શહીદ ભગતસિંહનો જન્મ દિવસ છે. આ પ્રસંગે તેમના 'મન કી બાત' કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું, અમર શહીદ ભગતસિંહ દરેક માટે, ખાસ કરીને યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે. ફાંસી આપતા પહેલા, તેમણે અંગ્રેજોને એક પત્ર લખીને વિનંતી કરી હતી કે તેઓ તેમની સાથે યુદ્ધબંદી જેવો વ્યવહાર કરે.

છઠ પૂજાને UNESCO યાદીમાં સામેલ કરવાનો પ્રયાસ

PM મોદીએ ભારતની સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક મંચ પર લઈ જવાના સંકલ્પ પર વાત કરી. PMએ ખુશી વ્યક્ત કરી કે ભારત સરકાર છઠ મહાપર્વને UNESCOની અમૂર્ત સાંસ્કૃતિક વારસા યાદી (Intangible Cultural Heritage List) માં સામેલ કરવા માટે પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું, જ્યારે છઠ પૂજા UNESCO યાદીમાં સામેલ થશે, ત્યારે દુનિયાના દરેક ખૂણે લોકો તેની ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ કરી શકશે.

તેમણે કહ્યું કે, તહેવારો અમારી સંસ્કૃતિને જીવંત રાખે છે. છઠ પૂજા સૂર્ય દેવને સમર્પિત એક પવિત્ર તહેવાર છે, જે હવે માત્ર દેશ જ નહીં, પરંતુ વૈશ્વિક તહેવાર બની રહ્યો છે. PMએ આ પણ યાદ અપાવ્યું કે સરકારના આવા જ પ્રયાસોથી થોડા સમય પહેલા કોલકાતાની દુર્ગા પૂજાને પણ UNESCOની યાદીમાં સ્થાન મળ્યું હતું.

PM મોદીએ કોકિલા કંઠ લતા મંગેશકરને તેમની જન્મજયંતી પર ભાવભીની શ્રદ્ધાંજલિ આપી અને 'સ્વદેશી' ને અપનાવવાનું આહ્વાન કર્યું. PMએ કહ્યું કે, લતા દીદીના દેશભક્તિ ગીતો પ્રેરણા આપે છે. તેમણે જણાવ્યું કે લતા દીદી દર વર્ષે તેમને રાખડી મોકલવાનું ક્યારેય ભૂલતા નહોતા.

ગાંધી જયંતી પર 'વોકલ ફોર લોકલ'

PM મોદીએ 2 ઓક્ટોબર, ગાંધી જયંતીનો ઉલ્લેખ કરતા સ્વદેશી અને ખાદી અપનાવવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, આઝાદી પછી ખાદીનું આકર્ષણ ઓછું થઈ ગયું હતું, પરંતુ છેલ્લા 11 વર્ષમાં તેના વેચાણમાં ઘણો વધારો થયો છે. તેમણે દેશવાસીઓને અપીલ કરી કે તેઓ 2 ઓક્ટોબરે કંઈક ખાદી ઉત્પાદન ખરીદે અને ગર્વથી કહે કે આ સ્વદેશી છે.

આજે 'મન કી બાત' કાર્યક્રમ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે 22 સપ્ટેમ્બરથી દેશભરમાં નવા GST ટેક્સ સ્લેબ લાગુ કરવામાં આવ્યા છે. હવે, ફક્ત બે સ્લેબ રાખવામાં આવ્યા છે: 5% અને 18% નવા સ્લેબ લાગુ થયા પછી આ PM મોદીનો પહેલો 'મન કી બાત' કાર્યક્રમ છે.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત સરકારના પ્રયાસોને કારણે થોડા સમય પહેલા, કોલકાતાની દુર્ગા પૂજા પણ યુનેસ્કોની યાદીનો શામેલ થઇ છે, જો આપણે આપણા સાંસ્કૃતિક કાર્યક્રમોને આવી વૈશ્વિક માન્યતા આપીશું, તો દુનિયા પણ તેમના વિશે જાણશે, તેમને સમજશે અને તેમાં ભાગ લેવા માટે આગળ આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X