Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પીએમ મોદીની મહિલાઓને મોટી ભેટ, 11 લાખ લખપતિ દીદીઓને સર્ટિફિકેટ, 2500 કરોડનુ ફંડ થશે જાહેર

PM Modi Maharashtra Visit: પીએમ મોદી આ રવિવારે મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન મહિલાઓને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. તેમની જલગાંવ મુલાકાતની પૂર્વસંધ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પરની એક પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે તેઓ મહિલાઓ માટે મોટી જાહેરાત કરવા માટે ખૂબ જ ઉત્સુક છે.

વડાપ્રધાન મોદીએ દાવો કર્યો હતો કે મહિલાઓના જીવનધોરણમાં સકારાત્મક અને મોટા ફેરફારો લાવવામાં લખપતિ દીદી યોજનાની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે આનાથી મહિલાઓનું જીવનધોરણ જ માત્ર ઊંચું નથી કરી શકાતું પરંતુ આ યોજના મહિલા સશક્તિકરણમાં પણ મોટી ભૂમિકા ભજવે છે.

Narendra Modi

ટ્વિટર પર એક પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "હું આવતીકાલે 25 ઓગસ્ટે મહારાષ્ટ્રના જલગાંવમાં લખપતિ દીદી સંમેલનમાં હાજરી આપવા માટે આતુર છું. કાર્યક્રમ દરમિયાન 11 લાખ લખપતિ દીદીઓને પ્રમાણપત્રો આપવામાં આવશે. આ યોજના મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે મહત્વની ભૂમિકા ભજવી રહી છે.''

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટે જલગાંવમાં 11 લાખ નવા લાખપતિ દીદીઓને મળશે. આ દરમિયાન તેઓ આ લાખપતિ દીદીઓને પ્રમાણપત્રોનું વિતરણ પણ કરશે. પીએમ મોદી આ કાર્યક્રમમાં રૂ. 5,000 કરોડની બેંક લોન પણ બહાર પાડશે, જેનાથી આશરે 25.8 લાખ સભ્યો ધરાવતા 2,35,400 સ્વ-સહાય જૂથો (SHGs) ને લાભ થશે.

આ સિવાય પીએમ મોદી રૂ. 2,500 કરોડનું રિવોલ્વિંગ ફંડ પણ બહાર પાડશે, જેનાથી 48 લાખ સભ્યો સાથે 4.3 લાખ એસએચજીને ફાયદો થશે. તમને જણાવી દઈએ કે લખપતિ દીદી તે છે જેઓ મુખ્યત્વે સ્વ-સહાય જૂથોમાં જોડાઈને ઉદ્યોગસાહસિક પ્રયાસો દ્વારા વાર્ષિક એક લાખ રૂપિયા અથવા તેનાથી વધુ કમાવવામાં સફળ થયા છે. આવી સ્થિતિમાં કેન્દ્ર દ્વારા તેમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X