Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PM મોદીએ નૌકાદળને સોંપ્યુ સ્વદેશી એરક્રાફ્ટ કરિયર INS વિક્રાંત, જાણો શું છે તેની ખાસિયત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કોચ્ચિમાં કોચીન શિપયાર્ડ લિમિટેડ ખાતે ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતને ચાલુ કર્યુ.

નવી દિલ્લીઃ દેશને આજે તેનું શક્તિશાળી સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત મળ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોચીમાં કોચીન શિપયાર્ડ લિમિટેડ ખાતે ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન અને અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એરક્રાફ્ટ કરિયર INS વિક્રાંત વિશ્વના દસ સૌથી શક્તિશાળી એરક્રાફ્ટ કેરિયર્સમાં સામેલ છે. એરક્રાફ્ટ કરિયર એટલે સમુદ્રમાં તરતુ એરફોર્સ સ્ટેશન, જ્યાંથી તમે ફાઈટર જેટ, મિસાઈલ, ડ્રોન ઉડાવીને તમારા દુશ્મનો સાથે લડી શકો.

modi

એરક્રાફ્ટ વિક્રાંતના કમિશનિંગ સમારોહમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, "'અમૃતકલ'ની શરૂઆતમાં INS વિક્રાંતનું કમિશનિંગ આગામી 25 વર્ષોમાં રાષ્ટ્રની સુરક્ષા માટેના અમારા મજબૂત સંકલ્પને દર્શાવે છે." INS વિક્રાંત એ આકાંક્ષાઓ અને આત્મનિર્ભર ભારતનું અસાધારણ પ્રતીક છે.

જાણો સ્વદેશી વિમાન કરિયરની વિશેષતા

  • સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતને ભારતીય નૌકાદળના ઇન-હાઉસ વૉરશિપ ડિઝાઇન બ્યુરો(WDB)દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યુ છે. તે કોચીન શિપયાર્ડ લિમિટેડ અને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય વચ્ચેનુ સંયુક્ત સાહસ છે.
  • વિક્રાંતને અત્યાધુનિક ઑટોમેશન સુવિધાઓ સાથે બનાવવામાં આવ્યુ છે અને તે ભારતના દરિયાઈ ઇતિહાસમાં અત્યાર સુધીનુ સૌથી મોટુ જહાજ છે.
  • સ્વદેશી એરક્રાફ્ટ કરિયરનું નામ તેના પ્રસિદ્ધ પુરોગામી, ભારતના પ્રથમ એરક્રાફ્ટ કરિયરના નામ પરથી રાખવામાં આવ્યુ છે, જેણે 1971ના યુદ્ધમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
  • સ્વદેશી એરક્રાફ્ટ કરિયર INS વિક્રાંતનો સ્વદેશી ઉપકરણો અને મશીનરીમાં મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં દેશના અગ્રણી ઔદ્યોગિક ગૃહો સાથે 100થી વધુ MSMEનો સમાવેશ થાય છે.
  • વિક્રાંતના ચાલુ થવા સાથે ભારત પાસે બે ઑપરેશનલ એરક્રાફ્ટ કરિયર્સ હશે. જે દેશની દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવશે.
  • ભારતીય નૌકાદળના જણાવ્યા મુજબ 262 મીટર લાંબા કરિયરમાં લગભગ 45,000 ટનનુ સંપૂર્ણ વિસ્થાપન છે જે તેના પુરોગામી કરતા ઘણુ મોટુ અને વધુ અદ્યતન છે.
  • વિક્રાંતની વિશેષતા વિશે બોલતા વાઈસ એડમિરલ હમ્પીહોલીએ કહ્યુ હતુ કે વિક્રાંત પાસે લગભગ 30 એરક્રાફ્ટનુ મિશ્રણ છે. તે મિગ 29K ફાઈટર એરક્રાફ્ટને હવા વિરોધી, સપાટી વિરોધી અને જમીન પર હુમલો કરવાની ભૂમિકામાં ઉડી શકે છે. તે કામોવ 31નુ સંચાલન કરવામાં સક્ષમ હશે, જે તાજેતરના પ્રારંભિક એર ચેતવણી હેલિકોપ્ટર છે.
  • આમાં MH-60Rને સામેલ કરવામાં આવ્યુ છે પરંતુ હજુ સુધી ચાલુ કરવામાં આવ્યુ નથી જે એક મલ્ટી રોલ હેલિકોપ્ટર છે તેમ જ આપણુ સ્વદેશી ALH પણ છે. તે લગભગ 45,000 ટનનુ વિસ્થાપન કરે છે જે ચોક્કસપણે ભારતીય નૌકાદળની યાદીમાં સૌથી મોટુ યુદ્ધ જહાજ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X