સ્મૃતિ ઈરાનીએ જણાવ્યુ, કેમ માર્ચ 2022 સુધી ગરીબોને મળશે મફત રાશન
દેશભરમાં કેન્દ્ર સરકાર તરફથી ગરીબોને મફત રાશન વિતરણની યોજના ફરીથી શરુ કરવામાં આવી છે જે અંગે સ્મૃતિ ઈરાનીએ માહિતી આપી છે.
નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારીના કારણે દેશભરમાં કેન્દ્ર સરકાર તરફથી ગરીબોને મફત રાશન વિતરણની યોજના શરૂ કરવામાં આવી હતી પરંતુ જે રીતે કોરોનાની સ્થિતિ દેશમાં સુધરવા લાગી ત્યારબાદ સરકારે હાલમાં જ આ યોજનાને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. સરકારના આ નિર્ણયનો વિપક્ષે ખૂબ વિરોધ કર્યો હતો ત્યારબાદ છેવટે સરકારે આ યોજનાને આવતા વર્ષે માર્ચ મહિના સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ બાબતે ખુદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ માહિતી આપી છે.

સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિર્ણય કર્યો છે કે ગરીબોને મફત રાશન ઉપલબ્ધ કરાવવાની પરિયોજના માર્ચ 2022 સુધી ચાલુ રહેશે. સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે ભારત દુનિયામાં એકમાત્ર એવો દેશ છે જ્યાં 80 કરોડ લોકોને મફતમાં રાશન ઉપલબ્ધ કરાવવાની યોજના છે. સ્મૃતિ ઈરાનીએ આ નિવેદન દિલ્લીમાં આયોજિત ઈફ્કી સીએસઆરના કૉન્ક્લેવમાં આપ્યુ છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે અમે આ નિર્ણય દયાના કારણે નથી લીધો પરંતુ અમારામાં જવાબદારીનો આભાસ છે જેના કારણે મફત રાશન યોજનાને આગળ વધારવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને માર્ચ 2022 સુધી વધારવામાં આવી છે જે હેઠળ લોકોને 5 કિલો વધુ અનાજ પ્રતિ વ્યક્તિ આપવામાં આવે થે, આ યોજનાનો લાભ એ બધા લોકોને મળે છે કે જે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવે છે.
ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ આ વર્ષે મે મહિનાથી નવેમ્બર મહિના સુધી 80 કરોડ લોકોને મફતમાં રાશન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યુ છે. આ બાબતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે યુપીમાં 15 કરોડ લોકોને મફતમાં રાશન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યુ છે. યોગી આદિત્યનાથે કહ્યુ છે કે તે આ યોજનાને આવતા વર્ષે હોળી સુધી ચાલુ રાખશે અને તેનો બધો ખર્ચ સરકાર આપશે.
-
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો












Click it and Unblock the Notifications
