ભગવા કપડાં ધારણ કરીને સાધનામાં લીન થયા પીએમ મોદી
ત્રણ વર્ષ પછી પીએમ નરેન્દ્ર મોદી ફરી એકવાર સાધનામાં લીન થયા છે. કેદારનાથની ગુફામાં તેમને ધ્યાન કરતા જોઈને બધા જ લોકો હેરાન છે.
ત્રણ વર્ષ પછી પીએમ નરેન્દ્ર મોદી ફરી એકવાર સાધનામાં લીન થયા છે. કેદારનાથની ગુફામાં તેમને ધ્યાન કરતા જોઈને બધા જ લોકો હેરાન છે. શનિવારે પણ બપોર પછી તેઓ ગુફામાં ધ્યાન લગાવવા બેસી ગયા, ત્યારપછી પીએમ મોદી સાંજે ધ્યાન ગુફાથી કેદારનાથ મંદિર પહોંચ્યા, અહીં તેમેં પૂજા અર્ચના કરી.
લોકસભા ચૂંટણી 2019 પ્રચાર પૂરો થતા પીએમ નરેન્દ્ર મોદી અહીં પહોંચ્યા હતા. મોદીની આ યાત્રાની ઘણી ફોટો સામે આવી છે. આ તસવીરો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. પીએમ મોદીના કેમેરા પ્રેમ અને તેમના ડ્રેસ અંગે ઘણી વાતો હાલમાં સોશ્યિલ મીડિયા પર કરવામાં આવી રહી છે.
કેદારનાથ ધામમાં રુદ્ર ગુફા ગયા વર્ષે જ બનીને તૈયાર થઇ હતી, જેનું સંચાલન આ વર્ષથી વિધિવત શરુ થઇ ગયું. આ વર્ષે મહારાષ્ટ્રના જય શાહ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ગુફામાં રોકાનાર બીજા મહેમાન છે. આ ગુફા પ્રાકૃતિક નથી પરંતુ ભૂમિગત છે. આ ગુફાની ઉંચાઈ લગભગ સવા 12 ફુટ છે. પ્રાકૃતિક સુંદરતા સાથે આ ગુફામાં ટોયલેટ, વીજળી અને ટેલિફોન જેવી આધુનિક સુવિધાઓ પણ આપવામાં આવી છે.