વારાણસી પહોંચ્યા નરેન્દ્ર મોદી, જરૂર વાંચો IIT-IIM નો સર્વે રિપોર્ટ
વારાણસી, 7 નવેમ્બર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસ પર પહોંચ્યા છે. પહોંચતાં તેમનું જોરદાર સ્વાગત થયું. દેશભરના મીડિયાની નજર તેમના પર ટકેલી છે, કે આખરે એવી કઇ ભેટ છે જે મોદી કાશીને આપવાના છે. જ્યારે અમારી સલાહ છે કે નરેન્દ્ર મોદીના કાશીના વિશે કોઇપણ નિર્ણય લેતાં પહેલાં આઇઆઇટીને તે સલાહોને જરૂર વાંચો, જે ચૂંટણી પહેલાં આપવામાં આવી હતી.
આઇઆઇએમ કોઝીકોડે આઇટી બીએચયૂ વારાણસીની એક એક ભાગીદારી રિસર્ચ કર્યું, જેમાં તમામ શહેરી સમસ્યાઓને ઉલ્લેખિત કરી. આ રિસર્ચ વિદેશી પર્યટકો અને સ્થાનિક વચ્ચે સર્વેક્ષણ પર આધારિત છે.

રિસર્ચના કેટલા અંશ આ પ્રકાર છે-
- બનારસમાં બેરોજગારી સતત વધતી જાય છે. આ ચિંતાનો વિષય છે.
- બનારસમાં 73 ટકા લોકો બેરોજગાર છે.
- 11 ટકા મેન્યુફેક્ચરિંગ ઇડસ્ટ્રીમાં છે, જેમાં વણકર પણ સામેલ છે. વણકરોનું ઉત્થાન જરૂરી છે.
- 7 ટકા ટ્રેંડ એન્ડ કોમર્સમાં છે, 2 ટકા ટ્રાંસપોર્ટ સેવાઓમાં છે. ટ્રાંસપોર્ટૅ સેવા છેવાડા સુધી હોય.
- 1 ટકા લોકો કૃષિ અને બાકીના 6 ટકા અન્ય વિસ્તારો સાથે જોડાયેલ છે. કૃષિમાં રોકાણ જરૂરી.
- વારાણસીમાં 55 ટકા પર્યટક ટ્રેનથી આવે છે, જો કે રેલ વ્યવસ્થા વધુ સારી કરવી જોઇએ.
- 15 ટકા પર્યટકો બાય રોડ આવે છે. બનારસ સાથે જોડાયેલા રાષ્ટ્રીય રાજમાર્ગોને હાઇ ક્વોલિટી બનાવવાની જરૂરિયાત.












Click it and Unblock the Notifications
