પીએમ મોદી આજે વર્ચ્યુઅલ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસને 10.45 વાગે કરશે સંબોધિત
પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી એ વિશે માહિતી આપવામાં આવી છે કે પીએમ મોદી આજે સવારે 10.45 વાગે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2020ને સંબોધિત કરશે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી એ વિશે માહિતી આપવામાં આવી છે કે પીએમ મોદી આજે સવારે 10.45 વાગે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2020ને સંબોધિત કરશે. પીએમઓ તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે IMC-2020નુ આયોજન ભારત સરકારના દૂરસંચાર વિભાગ અને સેલ્યુલર ઑપરેટર્સ એસોસિએશન ઑફ ઈન્ડિયા(COAI) તરફથી કરવામાં આવી રહ્યુ છે. આનુ આયોજન 8થી 10 ડિસેમ્બર 2020 સુધી કરવામાં આવશે.

નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે પ્રધાનમંત્રી આઠ ડિસેમ્બરે સવારે 10.45 વાગે આઈએમસી 2020ને સંબોધિત કરશે. આનો ઉદ્દેશ્ય વિદેશી તેમજ સ્થાનિક રોકારણને ગતિ આપવી, દૂરસંચાર તથા ઉભરતા પ્રોદ્યોગિકી સેક્ટરમાં સુધારા અને વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે. તમને જણાવી દઈએ કે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2020નો વિષય 'સમગ્ર અન્વેષણ - સ્મા્ર્ટ, સુરક્ષિત, ટકાઉ' છે. આના આયોજનનો ઉદ્દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત, ડિજિટલ સમાવેસ અને નિરંતર વિકાસ, ઉદ્યમ તથા અન્વેષણને પ્રોત્સાહિત કરવાનો છે.
આઈએમસી 2020માં વિવિધ મંત્રાલય, દૂરસંચાર કંપનીઓના સીઈઓ, વૈશ્વિક સીઈઓ, 5જી ડોમેન વિશેષજ્ઞ, એઆઈ, ઈન્ટરનેટ ઑફ થિંગ્ઝ, ડેટા એનાલિટિક્સ, ક્લાઉડ તેમજ એજ કમ્પ્યુટિંગ, બ્લૉકચેન, સાઈબર સુરક્ષા, સ્માર્ટ સિટી અને ઑટોમેશન ક્ષેત્ર માટે લોકો શામેલ થશે.












Click it and Unblock the Notifications
