PM મોદી આજે World Food India 2023નુ કરશે ઉદ્ઘાટન, જાણો શું છે તેમાં વિશેષતા?
World Food India 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2023ના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દિલ્હી સ્થિત પ્રગતિ મેદાનમાં યોજાશે. આ કાર્યક્રમ આજે સવારે 10 કલાકે ભારત મંડપમમાં શરૂ થશે. સ્વસહાય જૂથોને મજબૂત કરવાના હેતુથી પીએમ મોદી એક લાખથી વધુ SHG સભ્યોને પ્રારંભિક મૂડીનું વિતરણ કરશે.
વડાપ્રધાન કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે પીએમ મોદી વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2023ના બીજા તબક્કામાં ફૂડ સ્ટ્રીટનું ઉદ્ઘાટન પણ કરશે. તેમાં પ્રાદેશિક ભોજન પીરસવામાં આવશે, સાથે સાથે રૉયલ હેરિટેજ વાનગીઓ પણ જોવા મળશે.

200થી વધુ શેફ તેમાં ભાગ લેશે અને પરંપરાગત ભારતીય વાનગીઓ અલગ શૈલીમાં પીરસવામાં આવશે. આ કાર્યક્રમમાં ભારતને વિશ્વના ફૂડ બાસ્કેટ તરીકે દર્શાવવાનું છે અને વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવવાનું છે. ભારતીય ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને પ્રદર્શિત કરવા માટે અહીં ઘણા પ્રકારના પેવેલિયન બનાવવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં કુલ 49 સત્રો હશે, જેમાં દેશમાં વિવિધ પ્રકારના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોનું પ્રદર્શન કરવામાં આવશે. કેવી રીતે આ ઉદ્યોગ નાણાકીય શક્તિ, ગુણવત્તાની ખાતરી, મશીનો અને ટેક્નોલોજીનો વધુ સારો ઉપયોગ કરી રહ્યો છે તે પણ આ કાર્યક્રમમાં જોવા મળશે.
આ કાર્યક્રમમાં 80થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે, ઘણા ફૂડ પ્રોસેસિંગ યુનિટના સીઈઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ સિવાય રિવર્સ બાયર સેલર મીટની ઝલક પણ આ પ્રોગ્રામમાં જોવા મળશે. વિશ્વભરમાંથી 1200થી વધુ ખરીદદારો અહીં એકઠા થશે. નેધરલેન્ડ તેમાં ભાગીદાર દેશ તરીકે ભાગ લેશે. જ્યારે જાપાન કાર્યક્રમ પર ધ્યાન આપશે.












Click it and Unblock the Notifications
