આજથી શરૂ થશે દેશનો પહેલો ઑનલાઈન રમકડાં મેળો, પીએમ મોદી કરશે ઉદઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત રમકડાં મેળા 2021નુ ઉદઘાટન કરશે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત રમકડાં મેળો 2021નુ ઉદઘાટન કરશે. નક્કી કાર્યક્રમ મુજબ પીએમ મોદી સવારે 11 વાગે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા મેળાની શરૂઆત કરશે. કેન્દ્ર સરકાર તરફથી એક રિલીઝ જાહેર કરીને જણાવવામાં આવ્યુ કે આ રમકડા મેળાનુ આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એ વિઝનને સાકાર રૂપ આપવા માટે કરવામાં આવી રહ્યુ છે જેમાં તેમણે એક બાળકના સંપૂર્ણ વિકાસમાં રમકડાંની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ગણાવી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં પોતાના મન કી બાત કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ભારતમાં રમકડાના નિર્માણને પ્રોત્સાહન આપવા પર પણ જોર આપ્યુ હતુ.

આ પહેલા શુક્રવારે પીએમ મોદીએ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપીને જણાવ્યુ, '27 ફેબ્રુઆરીએ સવારે 11 વાગે ભારત રમકડાં મેળા 2021નુ ઉદઘાટન કરીશુ. આ મેળા દ્વારા રમકડા નિર્માણ ક્ષેત્ર સાથે જોડાયેલ બધા લોકો એક સાથે એક મંચ પર આવસે. આ રીતના પ્રયત્નોના માધ્યમથી સરકાર રમકડા ઉદ્યોગને આગળ વધારવા માટે ગતિ આપવા માંગે છે.'
27 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ચાલશે આ રમકડા મેળો
તમને જણાવી દઈએ કે આ મેળો 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ચાલશે. સરકારે જણાવ્યુ કે આ મેળાનો હેતુ રમકડાના ખરીદાર, વિક્રેતા, છાત્ર, શિક્ષક અને ડિઝાઈનર વગેરેને સાથે લાવવાનો છે. મેળામાં દેશના બધા રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોના 1000થી વધુ રમકડાં વેપારી પોતાના રમકડાંનુ પ્રદર્શન કરશે જેને ઑનલાઈન ખરીદી શકાય છે. મેળામાં પારંપરિક ભારતીય રમકડાંની સાથે સાથે ઈલેક્ટ્રોનિક રમકડાં, પ્લશ રમકડા, પઝલ્સ અને ગેમ સહિત મૉડર્ન રમકડાં પ્રદર્શિત કરવામાં આવશે. રમકડાંના પ્રદર્શન ઉપરાંત ઉદ્યોગને મજબૂતી આપવા માટે મેળામાં પેનલ ડિસ્કશન અને વેબીનાર પણ આયોજિત કરવામાં આવશે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
