વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્લાનિંગ કમિશન મુદ્દે CMની બેઠક બોલાવી, મમતા, ઓમર હાજર નહીં રહે
નવી દિલ્હી, 7 ડિસેમ્બર : આયોજન પંચનું વિસર્જન કરી તેની જગ્યાએ નવી સંસ્થાની રચના કરવાના મુદ્દે મંતવ્યો જાણવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનોની બેઠક આજે દિલ્હી ખાતે બોલાવી છે.
આ મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્ર સરકાર સાથે ચાલતા ખટરાગના મુદ્દે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને જમ્મુ કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લા હાજર રહેવાના નથી.
બર્દવાનમાં બોમ્બ વિસ્ફોટ અને શારદા ચિટ ફંડ કૌભાંડની તપાસ અંગે બેનરજી કેન્દ્રીય શાસક ભારતીય જનતા પાર્ટી પર રોષે ભરાયા છે. તે પોતે આજની બેઠકમાં હાજર નહીં રહે, પણ એમની જગ્યાએ રાજ્યના નાણાં પ્રધાન અમિત મિત્રાને મોકલશે. ઉમર અબ્દુલ્લા રાજ્યમાં હાલ વિધાનસભા ચૂંટણીની ચાલી રહી હોવાથી હાજર રહી શકે તેમ નથી એવું કારણ આપ્યું છે.

આયોજન પંચની રચના ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ કરી હતી. આયોજન પંચની રચના સમયે નહેરુએ એવું વિચાર્યું હતું કે ભારતના ધ્યેય અને લક્ષ્યાંકોને આયોજિત અર્થતંત્ર દ્વારા જ સિદ્ધ કરી શકાશે. આયોજન પંચની રચના કરવાનો આઈડિયા તેમણે તત્કાલિન સોવિયેત સંઘમાંથી મેળવ્યો હતો. આ પછી 1950ની 15 માર્ચે આયોજન પંચની રચના કરવામાં આવી હતી અને તે સાથે જ વર્ષ 1951થી પંચવર્ષીય યોજનાઓ પણ અમલમાં આવી હતી.
મોદી આયોજન પંચની જગ્યાએ જે નવી સંસ્થાની રચના કરવા માગે છે તેનું નામ 'કર્મ' (KARMA ,એટલે કે Knowledge And Reforms Management Agency) હશે. નવી સંસ્થા અનેક દેશોએ અર્થતંત્રના આયોજન માટે હાથ ધરેલી શ્રેષ્ઠ પદ્ધતિ પસંદ કરશે.
નવી એજન્સીમાં આર્થિક નિષ્ણાતોની એક નાની ટીમ હશે. તેની કામગીરી પર વડા પ્રધાનની દેખરેખ રહેશે. નવી સંસ્થા સરકારની આર્થિક સલાહકાર જેવું કામ કરશે અને કેન્દ્ર તથા રાજ્યો, બંનેને કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડશે.
તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં વડા મમતા બેનરજીએ કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર જો દેશની જનતાના લાભ માટે રચનાત્મક કાર્ય કરશે તો અમે તેને અમારો સંપૂર્ણ ટેકો આપીશું.
-
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain





Click it and Unblock the Notifications
