પીએમ નરેન્દ્ર મોદી આજે તમિલનાડુ અને પુડુચેરીના પ્રવાસ પર, ઘણી પરિયોજનાઓનુ કરશે ઉદઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુરુવારે(25 ફેબ્રુઆરી)એ તમિલનાડુ અને પુડુચેરીના પ્રવાસ પર છે.
PM Narendra Modi visit Tamil Nadu and Puducherry: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુરુવારે(25 ફેબ્રુઆરી)એ તમિલનાડુ અને પુડુચેરીના પ્રવાસ પર છે. આ દરમિયાન પીએમ મોદી ત્યાં ઘણી મહત્વની પરિયોજનાઓનુ ઉદઘાટન કરશે. પીએમ મોદી આ દરમિયાન બંને રાજ્યોને વિજળી સહિત ઘણી વિકાસ પરિયોજનાઓની ભેટ આપશે. પીએમ મોદીનો પ્રવાસ તમિલનાડુ અને પુડુચેરીમાં આવતી વિધાનસભા ચૂંટણી માટે છે. આ ક્રમમાં પીએમ મોદી આજે કોઈમ્બતૂરમાં એક ચૂંટણી જનસભાને પણ સંબોધિત કરશે. તમિલનાડુ અને પુડુચેરી, પશ્ચિમ બંગાળ, અસમ સહિત પાંચ રાજ્યોમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે જેની તૈયારીઓમાં ભાજપ લાગી ગઈ છે.
પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ)ના જણાવ્યા મુજબ પીએમ મોદી આજે સાડા 11 વાગે પુડુચેરીમાં ઘણી વિકાસ પરિયોજનાઓનુ ઉદઘાટન કરશે. ત્યારબાદ પીએમ મોદી સાંજે ચાર વાગે કોઈમ્બતૂરમાં આધારભૂત સંરચના સાથે જોડાયેલી વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે જે 12,400 કરોડની કિંમતના છે. આ ઉપરાંત પીએમ મોદી ન્યેવેલી નવી તાપ પરિયોજનાનુ પણ ઉદઘાટન કરશે. પ્લાન્ટના આ બે યુનિટો દ્વારા 1000 મેગાવોટ વિજળીનુ ઉત્પાદન થશે. આ પ્લાન્ટથી તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાના અને પુડુચેરીને પણ લાભ મળશે. આ વિજળીમાં તમિલનાડુની ભાગીદારી 65 ટકા હશે.
પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના પ્રવાસ વિશે ટ્વિટ કર્યુ કે ભારતને રાષ્ટ્રીય પ્રગતિમાં તમિલનાડુના યોગદાન પર ગર્વ છે. જીવંત તમિલ સંસ્કૃતિ વિશ્વ સ્તરે લોકપ્રિય છે. કેન્દ્ર સરકાર તમિલનાડુના વિકાસ માટે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. વિવિધ પરિયોજનાઓનુ ઉદઘાટન કરવા માટે હું કાલે કોઈમ્બતૂરમાં રહીશ. પીએમ મોદી તમિલનાડુ પ્રવાસ દરમિયાન વી ઓ ચિદંબરનાર બંદરગાહ પર ગ્રિડ સાથે જોડાયેલ પાંચ મેગાવોટના સૌર ઉર્જા પ્લાન્ટનુ પણ ઉદઘાટન કરશે. આ ઉપરાંત પીએમ મોદી પુડુચેરીમાં સતનાથપુરમ અને નાગાપટ્ટિનમ માર્ગનો શિલાન્યાસ કરશે. વળી, કરાઈકલ જિલ્લામાં મેડિકલ કૉલેજના નવા પરિસરનુ પણ પીએમ મોદી ઉદઘાટન કરશે.
પુડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન, કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી