પ્રધાનમંત્રી મોદી કરશે 13માં બ્રિક્સ શિખર સંમેલનની અધ્યક્ષતા, તાલિબાન-આતંકવાદ હશે બેઠકનો મુખ્ય એજન્ડા
અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસીને લઈને દુનિયાની ચિંતાઓ વચ્ચે આજે(ગુરુવારે) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13માં બ્રિક્સ સંમેલનની અધ્યક્ષતા કરશે.
નવી દિલ્લીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસીને લઈને દુનિયાની ચિંતાઓ વચ્ચે આજે(ગુરુવારે) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13માં બ્રિક્સ સંમેલનની અધ્યક્ષતા કરશે. વિદેશ મંત્રાલયે આ માહિતી આપીને જણાવ્યુ કે પીએમ મોદી વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા આ બેઠકનો સંબોધિત કરશે. આ દરમિયાન બેઠકમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સનારો, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ શામેલ થશે.

મીડિયા રિપોર્ટ મુજબ 13માં બ્રિક્સ શિખર સંમેલનમાં અફઘાનિસ્તાન, આતંકવાદ સાથે-સાથે વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દા મુખ્ય એજન્ડા હશે. આ વખતે શિખર સંમેલનનો વિષય 'બ્રિક્સ@15: સાતત્ય, એકત્રીકરણ અને સર્વસંમતિ માટે આંતર-બ્રિક્સ સહયોગ' છે. વર્ચ્યુઅલ મીટ દરમિયાન તાલિબાન દ્વારા કાબુલ પર કબજો કરવા અને ક્ષેત્રમાંથી ઉત્પન્ન થનાર આતંકી જોખમ બાદની સ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવશે. બ્રિક્સ શિખર સંમેલ સાથે સંબંધિત સૂત્રોએ જણાવ્યુ કે અફઘાનિસ્તાન સહિત મહત્વપૂર્ણ વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દાઓ પર પણ વિચાર-વિમર્શ કરવામાં આવશે.
આ ઉપરાંત ઘણા દેશોના મોટા પ્રતિનિધિ આતંકવાદ સામે લડવાની પ્રાથમિકતા પર જોર આપી શકે છે. આમાં તાલિબાનની વાપસી બાદ અફઘાનિસ્તાનની જમીન બીજા દેશ પર હુમલાના ફિરાકથી આતંકવાદ માટે ઉપયોગ થવાથી રોકવાનો મહત્વનો મુદ્દો હશે. તમને જણાવી દઈએ કે આ બીજી વાર છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિક્સ(બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) શિખર સંમેલનની અધ્યક્ષતા કરશે. આ પહેલા તેમણે 2016માં ગોવા શિખર સંમેલનની અધ્યક્ષતા કરી હતી. આ સંયોગ જ છે કે ભારત એ વખતે બ્રિક્સની અધ્યક્ષતા કરી રહ્યુ છે જ્યારે તે પોતાની 75મી વર્ષગાંઠ મનાવી રહ્યુ છે.












Click it and Unblock the Notifications
