For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનમોહન સિંહે ચીનના PMને કહ્યું, સરહદ પર શાંતિ વગર મજબૂત સંબંધો અશક્ય

|
Google Oneindia Gujarati News

pm
નવી દિલ્હી, 20 મે : ચીનને કડક સંદેશ આપતા પ્રધાનમંત્રી મન મોહન સિંહે લદ્દાખમાં હાલમાં થયેલી ચીની ઘુસણખોણી પર ઉંડી ચિંતા વ્યક્ત કરી છે. સૂત્રોના હવાલાથી સમાચાર આવ્યા છે કે રવિવારની મુલાકાતમાં મનમોહન સિંહે ચીની પ્રધાનમંત્રી લી કચિયાંગને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે સરહદ પર શાંતિ સ્થપાયા વગર બંને દેશો વચ્ચેના સંબંધ મજબૂત થઇ શકશે નહી.

ચીને તિબ્બતનો પ્રશ્ન ઉઠાવ્યો તો ભારતે સ્પષ્ટ કરી લીધું કે દલાઇ લામાં આધ્યાત્મિક નેતા છે અને તિબ્બતિયોને ભારતમાં રહીને રાજનીતિ કરવાની અનુમતિ નથી. બંને નેતાઓ વચ્ચે લગભગ એક કલાક સુધી ચર્ચા થઇ.

બે મહિના પહેલા પ્રધાનમંત્રીની જવાબદારી સંભાળ્યા બાદ પોતાની પહેલી વિદેશયાત્રા પર આવેલ 57 વર્ષિય લીએ મનમોહન સિંહને તેમના આધિકારીક રહેઠાણ પર મુલાકાત કરી. આ અવસરે બંને પક્ષોના સહયોગીઓ હાજર હતા. બંને નેતાઓની વચ્ચે થયેલી વાર્તામાં જટિલ સીમા વિવાદ, સીમા પાર કરનાર નદિયો તથા વ્યાપાર નુકસાન પર ચર્ચા થઇ.

બંને નેતાઓની વચ્ચે આ બેઠક ચીની સેના દ્વારા લદ્દાખની દેપસાંગ ઘાટીમાં 19 કિલોમીટર સુધી અંદર ઘુસ્યાના એક મહિના બાદ થઇ રહી છે. આ મુદ્દાનું સમાધાન બે અઠવાડિયા પહેલા જ થયું છે. બંને નેતાઓની બેઠકનો ભાર આ ગતિરોધ પર રહ્યો, જ્યારે મનમોહન સિંહે ચીન દ્વારા યથાસ્થિતિનું ઉલ્લંઘન કરવા પર ભારતની ગંભીર ચિંતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ એ વાત પર જોર આપ્યું કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર શાંતિ કાયમ રાખવી સારા દ્વિપક્ષીય સંબંધો માટે જરૂરી છે. આ બિન્દુ પર લીએ સહમતિ દર્શાવી.

English summary
PM raises Ladakh incursion with Li, says peace integral to ties.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X