પીએમઓ લાંચના આરોપી કેન્દ્રીય મંત્રીને બચાવવામાં લાગ્યા છેઃ કોંગ્રેસ
કોંગ્રેસ પ્રવકતા રણદીપ સિંહ સુરજેવાલાએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ભાજપ અને પીએમઓ પર જબરદસ્ત હુમલો કર્યો.
સીબીઆઈ અંગે મચેલું ઘમાસાણ શમવાનું નામ નથી લઈ રહ્યુ. જ્યાં એક તરફ સીબીઆઈની અંદર કંકાશ ચાલી રહ્યો છે ત્યાં બીજી તરફ કોંગ્રેસ ભાજપના ઉપર સીબીઆઈનો દૂરુપયોગ કરવાનો ગંભીર આરોપ લગાવી રહી છે. સોમવારે કોંગ્રેસ પ્રવકતા રણદીપ સિંહ સુરજેવાલાએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ભાજપ અને પીએમઓ પર જબરદસ્ત હુમલો કર્યો. સુરજેવાલાએ કહ્યુ કે આખી અમલદારશાહી, પીએમઓ કાર્યાલય દોષિઓને બચાવવામાં અને નિર્દોષોને ફસાવવામાં લાગ્યા છે. એવામાં દેશની અંદર કાયદાની સુરક્ષા કોણ કરશે?

રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે હાલમાં જ અમુક ચોંકાવનારા દસ્તાવેજ જનતા સામે આવ્યા છે. જેમાં દેખાઈ રહ્યુ છે કે કેવી રીતે ચોરોનું સંરક્ષણ પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા કરવામાં આવી રહ્યુ છે. તેમણે કહ્યુ કે મોદી સરકારના એક મંત્રી પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. વળી, તેમની સરકારના બે મંત્રી તેમને બચાવવામાં લાગી ગયા છે. તેમનો આરોપ છે કે મંત્રી પર લાગેલા લાંચના આરોપોની તપાસને કાયદા સચિવ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને કેબિનેટ સચિવ પ્રભાવિત કરી રહ્યા છે. આ દેશમાં આ પ્રકારની સ્થિતિ પેદા થઈ જશે તો દેશ કેવી રીતે ચાલશે?
સુરજેવાલાએ આ પત્રોનો હવાલો આપતા મોદી સરકાર પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા. તેમણે સીબીઆઈ અધિકારી મનોજ કુમાર સિન્હાના તે પત્રનો ઉલ્લેખ કર્યો છે જેમાં તેમણે ઘણા મોટા અધિકારીઓ અને મંત્રીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યુ કે ડાયરેક્ટર સીબીઆઈ મનોજ કુમારે પોતાના રિપોર્ટમાં આરોપ લગાવ્યો છે કે જ્યારે તે વ્યક્તિને પકડવામાં આવ્યા તો તેણે ધોંસ જમાવી કે એનએસએ અજીત ડોભાલ તેમના માણસ છે. તે એ બધા અધિકારીઓને ડિસમિસ કરાવી દેશે.












Click it and Unblock the Notifications
