PICS: 'રેપ' પર ગંભીર નહી નેતા, જાણો કોણે શું કહ્યું
બેંગ્લોર: મહિલાઓની આબરૂ લૂંટાઇ રહી છે, અસહનીય દર્દ આપવામાં આવી રહ્યું છે. એવું દર્દ જે કદાચ જ કોઇ મહિલા માટે ભૂલવું શક્ય હોય. કોઇ દિવસ એવો નથી કે જ્યરે બળાત્કારની ઘટના સામે આવી ન હોય. એક આંકડાના અનુસાર ભારતમાં એક વર્ષમાં લગભગ બે લાખથી વધુ ઘટનાઓ થાય છે. આ ઉપરાંત દર વીસ મિનિટમાં એક મહિલા સાથે બળજબરી થાય છે.
તો બીજી તરફ મહિલાઓને તેમનો હક અપાવીને સાંસદ અને પછી મંત્રીઓની ખુરશી સુધી પહોંચનાર નેતા રેપ જેવી સમસ્યા પર ગંભીર નજર આવી રહ્યાં નથી.

અખિલેશ યાદવનો મુદ્દો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે અરૂણ જેટલીના નિવેદન ટિખળ કરતાં કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં રેપથી પર્યટનને કોઇ નુકસાન થતું નથી.

ગંભીર જોવા ન મળ્યા જેટલી
અરૂણ જેટલીએ થોડા દિવસો પહેલાં મીડિયામાં નિવેદન આપ્યું હતું કે રેપ જેવા મુદ્દાથી પર્યટન વેપારને અરબો ડોલરનું નુકસાન થઇ રહ્યું છે. પરંતુ આ નિવેદન આપતાં પહેલાં અરૂણ જેટલીએ એ વિચાર્યું ન હતું કે રેપ જેવા ગંભીર મુદ્દાને પર્યટન સાથે જોડીને નિવેદન આપવાની શું જરૂરિયાત હતી. પર્યટન વિભાગ પર ચિંતા તો આમપણ વ્યક્ત કરી શકાતી હતી.

ઉદ્ધવ ઠાકરે
મુંબઇની એક મોડલ દ્વારા પોલીસ ઓફિસર ડીઆઇજી પર રેપનો આરોપ લગાવ્યા બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ થોડા દિવસો પહેલાં મીડિયામાં કહ્યું હતું કે બળાત્કાર મહિલાઓ માટે એક હથિયાર છે.

ટીએમસીના નેતા છે તપલ પૉલ
તપસ પૉલે કહ્યું હતું કે સીપીએમ કાર્યકર્તાઓની હત્યા કરી દેવી જોઇએ. અને તેમની મહિલા સંબંધીઓ સાથે બળાત્કાર કરવો જોઇએ.

કોંગ્રેસ પણ પાછળ નહી
લગભગ બધી પાર્ટીઓ રેપ પર તમામ પ્રકારના નિવેદન આપી રહી છે પરંતુ સમાધાન શોધી રહી નથી. હરિયાણા નેતા ધર્મવીર ગોયતે કહ્યું હતું કે નેવું ટકા રેપ સહમતિથી થાય છે.












Click it and Unblock the Notifications
