Political News : મોદીજી નારાજ થાય એવું કંઇ નહીં કરે મમતા દીદી, કોંગ્રેસ નેતાએ કર્યા શાબ્દિક પ્રહાર
Political News : કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. તેમણે બંનેને વિચારશીલ વ્યક્તિત્વ ગણાવ્યા છે.
Political News : હાલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. જેને લોકસભા 2024ની તૈયારી માનવામાં આવે છે. આ વચ્ચે વિપક્ષો એક જૂથ થવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે. આવા સમયે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળાના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર શાબ્દિક પ્રહારો કર્યા છે.

અધીર રંજનને જણાવ્યું હતું કે, મમતા બેનર્જી અને મોદીજી બંને વચ્ચે એક અડરસ્ટેન્ડિગ છે. મમતાજી એવું કંઇપણ નહીં કરે, જેનાથી મોદીજી નારજ થઇ જાય.

કોંગ્રેસને બંગાળમાંથી હટાવી દેવી જોઈએ
અધીર રંજને જણાવ્યું હતું કે, જ્યારે મોદીજી કહે છે - ભારત 'કોંગ્રેસ મુક્ત', જે સામે મમતાજી પણ કહે છે કે, કોંગ્રેસને બંગાળમાંથી હટાવીદેવી જોઈએ. ઘણા લોકો ભારત જોડો યાત્રાની પ્રશંસા કરી રહ્યા છે, પરંતુ તે બંને ભારત જોડો યાત્રાને સમજી શકતા નથી. તેઓ 'મો-મો' છે.

મોદી અને મમતા વચ્ચે રાજકીય સમજૂતી
આ પહેલા પણ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી અને મમતા બેનર્જીએ સમજૂતી કરી હતી. અમિત શાહ અનેમુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચેની તાજેતરની બેઠકનો ઉલ્લેખ કરતા ચૌધરીએ દાવો કર્યો હતો કે, વડાપ્રધાન મોદી મમતા બેનર્જી સાથે સોદોકરવા માટે રાજ્યની મુલાકાતે છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભાના સભ્યએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીની મુલાકાત બાદ બેનર્જી વિરુદ્ધ કેન્દ્રીય એજન્સીઓની તપાસ ધીમીપડી જશે.

વંદે ભારતને લઈને વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો
ડિસેમ્બર મહિનામાં વડાપ્રધાન મોદીએ બંગાળમાં વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેના પર ચૌધરીએ કટાક્ષ કરતાં કહ્યું કે, અમે ક્યારેયસાંભળ્યું નથી કે, કોઈ પીએમએ ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હોય. હું રેલવે પ્રધાન પણ હતો, પરંતુ વડાપ્રધાન મનમોહન સિંહે કોઈ ટ્રેનનું ઉદ્ઘાટન કર્યુંન હતું.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
