ટિકિટ મેળવવા ભાજપ નેતા કરતો હતો દિકરીના શરીરનો સોદો
ગાઝિયાબાદ, 24 માર્ચ: આને રાજકારણ કહીશું કે રાજ 'નીતિ' પરંતુ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં જે કંઇપણ બન્યું તે ખરેખર શરમજનક અને ચોંકાવનારું છે. ગાઝિયાબાદના સાહિબાબાદમાં ભારતીય જનતા પાર્ટીના નેતા ધર્મવીરની તેમના જ જમાઇએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. પોલીસે હત્યારા જમાઇની ધરપકડ કરી લીધી છે. જમાઇએ હત્યા પાછળ જે કારણ આપ્યું છે તેને જાણીને આપના હોંશ ઊડી જશે. હત્યારા જમાઇએ પોલીસને જણાવ્યું કે ધર્મવીર ભારતી પોતાની દિકરીને અન્ય સિનિયર નેતાઓની સાથે સુવાની ફરજ પાડતો હતો.
અત્રે નોંધનીય છે કે ગાઝિયાબાદના સાહિબાબાદના રહેનાર ધર્મવીર ચૌધરી પાર્ટીના વોર્ડ અધ્યક્ષ પણ હતા. પોલીસ અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર જમાઇનું નામ સુનીલ છે અને તે ધર્મવીર ચૌધરીને ગોળી મારીને સાહિબાબાદ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી દીધું. સાહિબાબાદ પોલીસ સ્ટેશનના એસએચઓએ ફોન પર જણાવ્યું કે સુનીલના લગ્ન 18 વર્ષ પહેલા ધર્મવીર ચૌધરીની દિકરી સાથે થયા હતા. સુનીલે પૂછપરછમાં જણાવ્યું કે છેલ્લા 8 મહિનાથી મારી પત્ની મારી સાથે નહીં રહેતા તેના પિતાના ઘરે રહેતી હતી.