19મીએ મતદાન અને 17મી એપ્રિલે બીજેપી દંગા કરાવશે-મમતા બેનર્જી
લોકોને લડાવીને મત મેળવનારી પાર્ટી ગણાવીને મતતા બેનર્જીએ બીજેપી પર આકરા પ્રહાર કર્યા છે. મતતા બેનર્જીએ બીજેપી ગંદા કરાવતી હોવાનો દાવો કર્યો.
લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. આ માટે તમામ પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બીજેપીને નિશાને લીધી છે.

મમતા બેનર્જીએ કહ્યું કે, રેલીઓ અને સભાઓ કરવી જોઈએ પણ રમખાણો નહીં. તેમણે કહ્યું કે બીજેપી જ રમખાણો કરાવશે. 19મી એપ્રિલે મતદાન છે અને 17મી એપ્રિલે તે દંગા કરાવશે.
મમતા બેનર્જીએ કહ્યું કે, ભગવાન રામ તમને આવું કરવા કહેતા નથી. પરંતુ આ લોકો તોફાનો કરશે અને હુલ્લડો કરીને NIAને રાજ્યમાં પ્રવેશ કરાવશે.
જણાવી દઈએ કે, બીજેપીની રાજનીતિમાં પહેલાથી જ હિન્દુ-મુસ્લિમોને લડાવીને મતોની ધ્રુવીકરણ કરવાની રીત સામેલ છે. બીજેપી પશ્ચિમ બંગાળમાં મતતા બેનર્જીને હરાવવા માટે એનઆઈએને દાખલ કરાવવા માટે આવી જ કોઈ હરકત કરાવી શકે તેવી અટકળો સતત લાગતી રહે છે.












Click it and Unblock the Notifications
