ઠાકરે બાદ શિવસેનાના વારસ કોણ?
મુંબઇ, 18 નવેમ્બરઃશનિવારે શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેના નિધન બાદ એક પ્રશ્ન બધાના હૃદયમાં ઉદભવી રહ્યો છે કે આખરે હવે ઠાકરે બાદ શિવસેનાની કમાન કોના હાથમાં આવશે? કારણ કે બાળ ઠાકરેએ કોઇને પણ પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો નથી.
પરંતુ લોક ચર્ચા એવી છે કે શિવસેનાની કમાન તેમના ભત્રીજા રાજ ઠાકરેના હાથમાં જશે કારણ કે, રાજ ઠાકરેમાં એ ક્ષમતા છે જે બાળ ઠાકરેમાં હતી. તેથી વિશ્વને અલવિદા કહેતા પહેલા બાળ ઠાકરેએ તેમના રિસાયેલા ભત્રીજાને મનાવી લીધા હતા.
તેથી લોકોને અચરજ ના હોવો જોઇએ જો રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એક થઇ જાય તો, કારણ કે બાળ ઠાકરેનો ઉદ્દેશ હમેંશા એ જ રહ્યો છે કે કોંગ્રેસને સત્તામાં આવવા ના દે અને એ ત્યારે જ શક્ય છે જ્યારે મનસે અને શિવસેના એક થઇ જાય, તેથી એ બની શકે કે શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેની ખુરશી પર રાજ ઠાકરે જ બેસે.
નોંધનીય છે કે વર્ષ 2006માં રાજ ઠાકરેએ મનસેની રચના માત્ર એટલા માટે કરી હતી કારણ કે બાળ ઠાકરેએ રાજના બદલે ઉદ્ધવને મહત્વ આપ્યું, જ્યારે રાજની લોકપ્રિયતા ઉદ્ધવ કરતા વધારે રહી છે.