જબલપુરમાં અમિત શાહના પ્રવાસ બાદ ભાજપ શહેર અધ્યક્ષ પ્રભાત સાહૂનું રાજીનામું, ધીરજને મળશે કમાન?
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જ્યારે ભાજપ અને કોંગ્રેસ જેવા પ્રમુખ દળ એક-એક સીટ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, તે દરમિયાન રાજીનામાં પણ પડાપડ પડી રહ્યાં છે. જબલપુરમાં ભાજપ નગર અધ્યક્ષ પ્રભાત સાહૂએ પોતાના પદ પરથી રાજીનાીમું આપી દીધું છે.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ જબલપુરના પ્રવાસે ગયા હતા અને ત્યાંથી તેઓ રવાના થયા તેના 24 કલાક પણ નહોતા થયા કે સાહૂએ રાજીનામું આપી દીધું. ખુદ પ્રભાત સાહૂએ મીડિયા સમક્ષ રાજીનામું સંગઠનને મોકલ્યું હોવાના અહેવાલની પુષ્ટિ કરી છે.
સાહૂએ નગર અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવા પાછળ કેટલાંય કારણો ગણાવ્યાં. જેમાં ભાજપ ઉમેદવારોની જાહેર થયેલી પાંચમી યાદી પછી ભાજપ પાર્ટી ઑફિસમાં થયેલ બબાલને સૌથી મોટું કારણ ગણાવ્યું. પ્રભાત સાહૂએ કહ્યું કે પાર્ટીના જ કેટલાક લોકો સંભાગીય ઑફિસમાં થયેલ ઘટના માટે પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ રૂપે તેમને દોષિત માને છે. જેથી પાર્ટીની મર્યાદાઓ અને નૈતિકતાને પગલે રાજીનામું આપ્યું છે.
જણાવી દઈએ કે જબલપુરમાં ઉત્તર મધ્ય વિધાનસભા સીટથી ઘોષિત ઉમેદવાર અભિલાષ પાંડે વિરુદ્ધ અસંતુષ્ટોની ભીડે ભાજપની ઑફિસમાં બબાલ મચાવી હતી. તે વખતે રાજ્ય ચૂંટણી પ્રભારી ભૂપેન્દ્ર સિંહ સામે ગાળાગાળી અને મારપીટ જેવી ઘટના પણ બની હતી. પછી આગલા દિવસે સોશિયલ મીડિયા પર સ્થાનિક ભાજપના અલગ ગુટે પ્રભાત સાહૂને ઘેરવા શરૂ કરી દીધા હતા. કેટલાય આરોપો સાથે કોમેન્ટ્સ પણ થવા લાગી હતી. સાહૂ બોલ્યા કે ચૂંટણી સમયે હાલાતને નજરમાં રાખી તેમણે રાજીનામું આપવું જ યોગ્ય માન્યું.
જો સંગઠન પ્રભાત સાહૂનું રાજીનામું સ્વીકારી લે છે, તો આ ચૂંટણીમાં પાર્ટીની કમાન કોના ખભા પર હશે, તેને લઈને પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. મોટા નેતાઓએ જો કે આ મામલે મૌન ધારણ કરી રાખ્યું છે. જો કે ધીરજ પટૈરિયાના નામની ચર્ચા થઇ રહી છે.
હકીકતમાં, આ ઘટનાના એક દિવસ પહેલા જ ધીરજ પટેરિયાની અમિત શાહ સાથેની તેમની જબલપુર મુલાકાત દરમિયાન ચર્ચામાં હતી. આ સમાચારને લઈને રાજકીય વર્તુળોમાં ભારે હોબાળો મચી ગયો હતો, ગત ચૂંટણીની જેમ આ વખતે પણ ધીરજ ટિકિટ ન મળવાથી નારાજ છે અને અપક્ષ તરીકે ચૂંટણી લડશે. પરંતુ શાહને મળ્યા બાદ તેમણે તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડશે નહીં અને પાર્ટીના ઉમેદવારોની જીત માટે કામ કરશે.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
