For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિંદુ રક્ષા સેનાઃ ‘પહેલા મોદીજી નહોતા પહેરતા મુસ્લિમ ટોપી, હવે તેમના ખોળામાં જઈ બેઠા'

હિંદુ રક્ષા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર પ્રબોધાનંદ ગિરી મહારાજે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

હિંદુ રક્ષા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર પ્રબોધાનંદ ગિરી મહારાજે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેક્યુલર થઈ ગયા છે. તેમણે કહ્યુ કે પહેલા તે ટોપી ન પહેરવાથી ફેમસ થયા અને તેમના ખોળામાં જઈને બેસી ગયા છે.

આ પણ વાંચોઃ પીએમ મોદી અયોધ્યાથી ભગવાન શ્રીરામની જાન લઈને જશે નેપાળના જનકપુર!આ પણ વાંચોઃ પીએમ મોદી અયોધ્યાથી ભગવાન શ્રીરામની જાન લઈને જશે નેપાળના જનકપુર!

hindu raksha sena

હિંદુ રક્ષા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર પ્રબોધાનંદ ગિરી મહારાજ બુધવારે ગ્રેટર નોઈડા પહોંચ્યા. મહામંડલેશ્વર પ્રબોધાનંદ ગિરી મહારાજે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગે કહ્યુ કે સરકાર તરત જ રામ મંદિરનું નિર્માણ કાર્ય પ્રારંભ કરે. નિર્માણ માટે કોર્ટના આદેશની કોઈ જરૂર નથી. તેમણે કહ્યુ કે 2018 માં જ રામ મંદિર બનાવવામાં આવે. વળી, બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરી. તેમણે કહ્યુ કે યોગીને જ દેશના પ્રધાનમંત્રી બનાવવા જોઈએ.

આ પણ વાંચોઃ રાજસ્થાનમાં ઝીકાના દર્દીઓની સંખ્યા 100 ને પાર, કેન્દ્રએ મોકલી રિચર્ચ ટીમઆ પણ વાંચોઃ રાજસ્થાનમાં ઝીકાના દર્દીઓની સંખ્યા 100 ને પાર, કેન્દ્રએ મોકલી રિચર્ચ ટીમ

તેમણે અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાના નિર્ણયનું સ્વાગત કરતા કહ્યુ કે આવા જ બીજા જે નામ છે તેને પણ બદલવા જોઈએ. તેમણે કહ્યુ કે અલીગઢનું નામ હરિગઢ કરી દેવુ જોઈએ. મુઝફ્ફરનગરનું નામ લક્ષ્મીનગર કરી દેવુ જોઈએ. વળી, તેમણે કહ્યું કે ભારતમાં બધા હિંદુ છે. બધા રામ અને કૃષ્ણના વંશજ છે. કહ્યુ કે જો રામને કોઈ પોતાનું નથી માનતુ તો તેને આ દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી. મહામંડલેશ્વરે કહ્યુ કે બધાને રામને પોતાના બાપ માનવા પડશે. નહિ માને તો તેને તેની જ ભાષામાં પાઠ ભણાવવામાં આવશે. રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યુ કે આ દેશમાં હિંદુઓનું સાંભળનાર કોઈ નથી એટલા માટે હિંદુ રક્ષા દળની રચના કરવામાં આવી છે. બધા હિંદુ સંગઠન હવે સેક્યુલર થઈ ગયા છે.

English summary
Prabodhananda Giri Maharaj big statement on pm Narendra Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X