Coronavirus: કાશીમાં ભગવાન શિવને પહેરાવાયું માસ્ક, લોકોને મૂર્તિ ના અડવાની અપીલ

Coronavirus: કાશીમાં ભગવાન શિવને પહેરાવાયું માસ્ક, લોકોને મૂર્તિ ના અડવાની અપીલ

વારાણસીઃ વિશ્વભરમાં કોરોના વાયરસને લઈ હાહાકાર મચ્યો છે, જ્યારે ભારમતાં પણ અત્યાર સુધી કોરોના વાયરસના 50 મામલા સામે આવી ચૂક્યા છે. આ દરમિયાન વારાણસીના પ્રહ્માદેશ્વર મંદિરમાં પુજારીએ ભગવાન શિવને માસ્ક પહેરાવી દીધું છે. સાથે જ મૂર્તિને ના સ્પર્શવા લોકોને અપીલ કરવામાં આવી છે.

Coronavirus

પ્રહ્માદેશ્વર મહાદેવ મંદિરના પુજારી કૃષ્ણા આનંદ પાંડેએ જણાવ્યું કે કોરોના વાયરસ આખા દેશમાં ફેલાઈ રહ્યો છે. લોકોને જાગરુક કરવા માટે અમે ભગવાન શિવને માસ્ક પહેરાવ્યું છે. સાથે જ ભક્તોને મૂર્તિ ના અડવા અપીલ કરી છે. જો ભક્તો મૂર્તિને અડશે તો કોરોના વાયરસ વધુ લોકો સુધી ફેલાસે. સાથે જ મંદિર આવવા પર ભક્તોને માસ્ક પહેરીને આવવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે બીજી તરફ ભક્તોનું કહેવું છે કે ભગવાન સુરક્ષિત રહેશે ત્યારે જ આપણે બધા સુરક્ષિત રહીશું. આ મંદિરમાં પ્રહ્માદેશ્ર શિવ, પ્રહલાદ કેશવ, વિષ્ણુ, શીતલા, ઈશાનેશ્વર શિવ, જગન્નાથ અને નૃસિંહ મંદિર પણ છે.

દુબઈથી આવેલા પુણેના બે વ્યક્તિમાં સંક્રમણ

દેશમાં સોમવાર સુધી કોરોના વાયરસથી સંક્રમણના કુલ 47 મામલા સામે આવ્યા છે. મોડી રાત્રે દુબઈથી આવેલા પુણેના બે વ્યક્તિઓમાં સંક્રમણ મળી આવ્યું. બંનેને પુણેના નાયડૂ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્ાય છે. અગાઉ અમેરિકાથી આવેલ યુવક કર્ણાટકમાં અને ઈટલીથી પંજાબમાં આવેલ યુવક પણ સંક્રમિત હતા. સંક્રમણની તપાસ માટે દેશભરમાં 52 લેબ બનાવવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે સ્વાસ્થ્ય અને શોધ વિભાગ સાથે મળી આ લેબ બનાવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X