Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રામ મંદિર બનાવવાની માંગ લઈને પ્રવીણ તોગડીયા રેલી કાઢશે

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ અયોધ્યામાં રામ મંદિર બનાવવાની માંગ લઈને રેલીનું એલાન કર્યું છે.

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ અયોધ્યામાં રામ મંદિર બનાવવાની માંગ લઈને રેલીનું એલાન કર્યું છે. પ્રવીણ તોગડીયા 21 ઓક્ટોબરે લખનવથી અયોધ્યા સુધીની રેલી કાઢશે. પ્રવીણ તોગડીયા ઘ્વારા સોમવારે બિજનૌરમાં તેના વિશે એલાન કરવામાં આવ્યું હતું. પ્રવીણ તોગડિયાએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર રામ મંદિર મુદ્દે ગંભીર નથી દેખાઈ રહી એટલા માટે સરકારને જગાડવા માટે તેઓ 21 ઓક્ટોબરે લખનવ થી અયોધ્યા સુધીની રેલી કાઢશે.

મંદિર નહીં બન્યું તો સરકાર બદલીશુ

મંદિર નહીં બન્યું તો સરકાર બદલીશુ

પ્રવીણ તોગડીયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે રેલી અને તેમના બધા જ પ્રત્યનો પછી પણ જો સરકાર પર કોઈ અસર નહીં થયો તો પછી સરકાર બદલવી પડશે. પ્રવીણ તોગડીયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો સરકાર અમારી વાત નહીં સાંભળે, તો વર્ષ 2019 દરમિયાન હિન્દૂ સરકાર બનાવીશુ.

પીએમ મોદી મુસલમાનોના વકીલ બની ગયા

પીએમ મોદી મુસલમાનોના વકીલ બની ગયા

પ્રવીણ તોગડિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે હિંદુત્વના નામ પર અને હિન્દૂ વોટોના દમ પર નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા હતા. પરંતુ ભારતને હિન્દૂ દેશ બનાવવા અને કાશ્મીરમાં હિન્દુઓની રક્ષા કરવાને બદલે તેઓ મુસલમાનોના વકીલ બની ગયા. પ્રવીણ તોગડિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ટ્રિપલ તલાક મુસલમાનનો અંગત મામલો છે. તેવામાં હિન્દૂ સરકારના નેતા તરીકે તેમને આવી ચિંતા નહીં કરવી જોઈએ.

આ સરકારમાં ગૌરક્ષક ગુંડા અને કસાઈ ભાઈ બની ગયા

આ સરકારમાં ગૌરક્ષક ગુંડા અને કસાઈ ભાઈ બની ગયા

પ્રવીણ તોગડીયાએ મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે આ સરકારમાં ગૌરક્ષક ગુંડા અને કસાઈ ભાઈ બની ગયા. તેમને સખત શબ્દોમાં જણાવ્યું કે દેશના મોટાભાગના રાજ્યોમાં બીજેપી સરકાર છે તેમ છતાં બીજેપી અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં અસમર્થ છે. જેથી સમજી શકાય છે કે મોટાભાગના નેતાઓના મગજમાં શુ ચાલી રહ્યું છે.

ભગવાન રામનો ઉપયોગ કરીને ખુરશી મેળવવા માંગે છે

ભગવાન રામનો ઉપયોગ કરીને ખુરશી મેળવવા માંગે છે

પ્રવીણ તોગડીયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ ભગવાન રામનો ઉપયોગ કરીને ખુરશી મેળવવા માંગે છે અને આવું કર્યું છે તેઓ ઉદેશ ભૂલી ગયા છે જેમના માટે તેમને સરકારમાં મોકલવામાં આવ્યા હતા પ્રવીણ તોગડીયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જે લોકો 2014 ઈલેક્શન દરમિયાન હિન્દૂ અધિકારો વિશે વાત કરતા હતા તેમને વર્ષ 2019 દરમિયાન તેમની નિષ્ક્રીયતાનુ પરિણામ ભોગવવું પડશે

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X