રામ મંદિર બનાવવાની માંગ લઈને પ્રવીણ તોગડીયા રેલી કાઢશે
આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ અયોધ્યામાં રામ મંદિર બનાવવાની માંગ લઈને રેલીનું એલાન કર્યું છે.
આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ અયોધ્યામાં રામ મંદિર બનાવવાની માંગ લઈને રેલીનું એલાન કર્યું છે. પ્રવીણ તોગડીયા 21 ઓક્ટોબરે લખનવથી અયોધ્યા સુધીની રેલી કાઢશે. પ્રવીણ તોગડીયા ઘ્વારા સોમવારે બિજનૌરમાં તેના વિશે એલાન કરવામાં આવ્યું હતું. પ્રવીણ તોગડિયાએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર રામ મંદિર મુદ્દે ગંભીર નથી દેખાઈ રહી એટલા માટે સરકારને જગાડવા માટે તેઓ 21 ઓક્ટોબરે લખનવ થી અયોધ્યા સુધીની રેલી કાઢશે.

મંદિર નહીં બન્યું તો સરકાર બદલીશુ
પ્રવીણ તોગડીયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે રેલી અને તેમના બધા જ પ્રત્યનો પછી પણ જો સરકાર પર કોઈ અસર નહીં થયો તો પછી સરકાર બદલવી પડશે. પ્રવીણ તોગડીયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો સરકાર અમારી વાત નહીં સાંભળે, તો વર્ષ 2019 દરમિયાન હિન્દૂ સરકાર બનાવીશુ.

પીએમ મોદી મુસલમાનોના વકીલ બની ગયા
પ્રવીણ તોગડિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે હિંદુત્વના નામ પર અને હિન્દૂ વોટોના દમ પર નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા હતા. પરંતુ ભારતને હિન્દૂ દેશ બનાવવા અને કાશ્મીરમાં હિન્દુઓની રક્ષા કરવાને બદલે તેઓ મુસલમાનોના વકીલ બની ગયા. પ્રવીણ તોગડિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ટ્રિપલ તલાક મુસલમાનનો અંગત મામલો છે. તેવામાં હિન્દૂ સરકારના નેતા તરીકે તેમને આવી ચિંતા નહીં કરવી જોઈએ.

આ સરકારમાં ગૌરક્ષક ગુંડા અને કસાઈ ભાઈ બની ગયા
પ્રવીણ તોગડીયાએ મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે આ સરકારમાં ગૌરક્ષક ગુંડા અને કસાઈ ભાઈ બની ગયા. તેમને સખત શબ્દોમાં જણાવ્યું કે દેશના મોટાભાગના રાજ્યોમાં બીજેપી સરકાર છે તેમ છતાં બીજેપી અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં અસમર્થ છે. જેથી સમજી શકાય છે કે મોટાભાગના નેતાઓના મગજમાં શુ ચાલી રહ્યું છે.

ભગવાન રામનો ઉપયોગ કરીને ખુરશી મેળવવા માંગે છે
પ્રવીણ તોગડીયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ ભગવાન રામનો ઉપયોગ કરીને ખુરશી મેળવવા માંગે છે અને આવું કર્યું છે તેઓ ઉદેશ ભૂલી ગયા છે જેમના માટે તેમને સરકારમાં મોકલવામાં આવ્યા હતા પ્રવીણ તોગડીયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જે લોકો 2014 ઈલેક્શન દરમિયાન હિન્દૂ અધિકારો વિશે વાત કરતા હતા તેમને વર્ષ 2019 દરમિયાન તેમની નિષ્ક્રીયતાનુ પરિણામ ભોગવવું પડશે
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
