LIVE: થોડી વારમાં શિક્ષણ નીતિ પર રાજ્યપાલોના સંમેલનને સંબોધિત કરશે રાષ્ટ્રપતિ, પીએમ પણ રહેશે હાજર
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુદ્દે રાજ્યપાલોના સંમેલનના ઉદઘાટન સત્રને વીડિયો કૉન્ફરન્સ દ્વારા સંબોધિત કરશે. વાંચો, પળેપળની લાઈવ અપડેટ -
નવી દિલ્લીઃ આ વર્ષે 29 જુલાઈએ ભારતમાં શિક્ષણ ક્ષેત્રે ઘણો ખાસ દિવસ હતો કારણકે આ દિવસે કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી હતી. ભારતમાં આ 21મી સદી પહેલી શિક્ષણ નીતિ છે જે આધુનિક યુગના હિસાબે બનાવવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુદ્દે રાજ્યપાલોના સંમેલનના ઉદઘાટન સત્રને વીડિયો કૉન્ફરન્સ દ્વારા સંબોધિત કરશે. સાથે જ રાજ્યપાલો, શિક્ષણ વિદો વગેરે સાથે વિસ્તારથી વિચાર મંથન થશે. વાંચો, પળેપળની લાઈવ અપડેટ -

રાષ્ટ્રપતિએ કહ્યુ કે હું ઈચ્છીશ કે બધા રાજ્યપાલ પોતાના રાજ્યોમાં નવી શિક્ષણ નીતિને કાર્યરૂપ આપવા માટે થીમ આધારિત વર્ચ્યુઅલ સંમેલન કરે. શિક્ષણ નીતિના વિવિધ આયામો પર વ્યાપક વિચાર મંથમ ઉપરાંત પોતાના સૂચન કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયને મોકલી શકે છે જેથી તેમનો દેશવ્યાપી ઉપયોગ કરી શકાય.
બધા ક્ષેત્રોમાં ગુણવત્તાયુક્ત શૈક્ષણિક અનુસંધાન પ્રેરિત કરવા માટે રાષ્ટ્રીય અનુસંધાન ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવશે. શોધની સંસ્કૃતિને મજબૂત બનાવવા માટે બધા વિશ્વવિદ્યાલયો તેમજ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને રાષ્ટ્રીય અનુસંધાન ફાઉન્ડેશન સાથે મળીને કામ કરવાનુ રહેશેઃ રાષ્ટ્રપતિ કોવિંદ
રાષ્ટ્રપતિ મુજબ સ્કૂલી શિક્ષણને મજબૂત આધાર આપવા માટે 2021 સુધી આ શિક્ષણ નીતિ પર આધારિત, ટીચર્સ એજ્યુકેશનનુ એક નવીન અને વ્યાપક પાઠ્યક્રમ તૈયાર કરવાનુ લક્ષ્ય છે. ટીચર્સ એજ્યુકેશન, ઉચ્ચ શિક્ષણનુ અંગ છે. માટે રાજ્ય સ્તરે તમારે સૌએ ટીચર્ચ એજ્યુકેશન સાથે જોડાયેલ અત્યંત મહત્વપૂર્ણ લક્ષ્યોને મેળવવાના છે.
રાષ્ટ્રપતિએ કહ્યુ કે નવી શિક્ષણ નીતિમાં એ વાત પર જોર આપવામાં આવ્યુ છે કે આપણે બધાએ ભારતીય જીવન મૂલ્યો પર આધારિત આધુનિક શિક્ષણ પ્રણાલી વિકસિત કરવાની છે. સાથે જ એ પણ પ્રયત્ન કરવાનો છે કે બધાને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તેમજ એક જીવંત તેમજ સમતા-મૂલક નૉલેજ સોસાયટીનુ નિર્માણ થાય.
રાષ્ટ્રપતિએ કહ્યુ કે 1968ની શિક્ષણ નીતિથી લઈને આ શિક્ષણ નીતિ સુધી, એક સ્વરથી નિરંતર એ સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોએ મળીને સાર્વજનિક શિક્ષણ ક્ષેત્રમાં જીડીપીના 6 ટકા રોકાણનુ લક્ષ્ય રાખવુ જોઈએ. 2020ની આ શિક્ષણ નીતિમાં આ લક્ષ્ય સુધી ઝડપથી પહોંચવાની આશા કરવામાં આવી છે.
સંમેલનને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, પરામર્શોની અભૂતપૂર્વ અને લાંબી પ્રક્રિયા બાદ તૈયાર કરવામાં આવી છે. મને જણાવવામાં આવ્યુ છે કે આ નીતિના નિર્માણમાં અઢી લાખ ગ્રામ પંચાયતો, સાડા બાર હજારથી વધુ સ્થાનિક નિગમો તથા લગભગ 675 જિલ્લાથી મળેલ બે લાખથી વધુ સૂચનને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.
પીએમે કહ્યુ કે પ્રોફેસર, ટીચર્ચના મનમાં સવાલ હશે કે તે ખુદને આ ફેરફાર માટે કેવી રીતે તૈયાર કરી શકશે? આ પ્રકારનો અભ્યાસક્રમ કેવી રીતે મેનેજ થઈ શકશે? તમારા બધા પાસે પણ અનેક સવાલ હશે, જેના પર તમે ચર્ચા પણ કરી રહ્યા છો. આ બધા સવાલ મહત્વપૂર્ણ છે, દરેક સવાલના સમાધાન માટે બધા મળીને કામ કરી રહ્યા છે. શિક્ષણ મંત્રાલય તરફથી પણ સતત સંવાદ ચાલુ છે. રાજ્યોમાં દરેક સ્ટેકહોલ્ડરની પૂરી વાત, દરેક મંતવ્યને ખુલ્લા મનથી સાંભળવામાં આવી રહી છે. છેવટે આપણે સૌએ મળીને જ તો તમામ શંકાઓ અને આશંકાઓનુ સમાધાન કરવાનુ છે.
સંમેલનને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે દેશની એસ્પીરેશનને પૂરુ કરવાનુ મહત્વપૂર્ણ માધ્યમ શિક્ષણ નીતિ અને શિક્ષણ વ્યવસ્થા હોય છે. શિક્ષણ વ્યવસ્થાની જવાબદારી કેન્દ્ર, રાજ્ય સરકાર, સ્થાનિક એકમ, બધા જોડાયેલા હોય છે પરંતુ એ પણ સાચુ છે કે શિક્ષણ નીતિમાં સરકાર, તેમની દખલ, તેમનો પ્રભાવ ઓછામાં ઓછો હોવો જોઈએ.
READ MORE












Click it and Unblock the Notifications
