પ્રણવ મુખર્જીએ કેજરીવાલનું રાજીનામું મંજૂર કર્યું, દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ
નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાં બાદ માનવામાં આવી રહ્યું હતું કે રાષ્ટ્રપતિ તેમનું રાજીનામું મંજૂર કર્યા બાદ ચૂંટણી સુધી કાર્યકારી મુખ્યમંત્રી બની રહેવા માટે કહી શકે છે, પરંતુ એવું કંઇ થયું નહીં. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કેજરીવાલનું રાજીનામુ મંજૂર કરતા દિલ્હીમાં સોમવારથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું છે.
ઉપરાજ્યપાલ નજીબ જંગના કાર્યકાળથી સોમવારે જારી એક નિવેદન અનુસાર, 'રાષ્ટ્રપતિએ કેન્દ્રીય મંત્રિમંડળની ભલામણ પર દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત તેમના મંત્રિમંડળનું રાજીનામું રાષ્ટ્રપતિએ તાત્કાલિક ધોરણે સ્વીકારી લીધું છે.'
રાજભવનથી પ્રાપ્ત જાણકારી અનુસાર વિધાનસબાને અનિશ્ચિતકાળ માટે મોકૂફ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ લોકસભાને સોમવારે જણાવ્યું કે મુખર્જીએ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાના કેન્દ્રીય મંત્રિમંડળની ભલામણનો સ્વીકાર કરી લીધો છે.

કોંગ્રેસના બાહ્ય સમર્થન સાથે કેજરીવાલ સરકાર 49 દિવસો સુધી જ ચાલી શકી. જંગે વિધાનસભા અધ્યક્ષ એમ.એસ. ધીરને પત્ર લખીને જણાવ્યું હતું કે તેમની મંજૂરી વગર જનલોકપાલ બિલ ગૃહમાં રજૂ કરી શકાય નહીં. જોકે કેજરીવાલ પોતાની વાત પર અડી રહ્યા અને જનલોકપાલ બિલ ગૃહમાં પાસ નહીં થઇ શકવાને પગલે તેમણે પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
