યુપીમાં મંદિરના પુજારીની લોખંડના સળીયાથી મારીની હત્યા કરી
ઉત્તર પ્રદેશના સુલતાનપુરના મંદિરના પુજારીની શંકાસ્પદ સંજોગોમાં મૌત થયી. હત્યારાઓએ લોખંડના સળીયાથી મારી મારીને પુજારીની હત્યા કરી.
ઉત્તર પ્રદેશના સુલતાનપુરના મંદિરના પુજારીની શંકાસ્પદ સંજોગોમાં મૌત થયી. હત્યારાઓએ લોખંડના સળીયાથી મારી મારીને પુજારીની હત્યા કરી. એવું માનવામાં આવે છે કે ચોરીના હેતુથી તેની હત્યા થઈ છે. જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે મંદિરની દાનપેટી તૂટેલી પડી હતી. પોલીસ માને છે કે પુજારીએ લૂંટારાઓને મંદિર લૂંટતા અટકાવ્યા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી.
મળતી માહિતી મુજબ, ભક્તો પહલવાન વીર બાબાના મંદિરમાં દરરોજ મુજબ પહોંચ્યા, જે લખનવ-વારાણસીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી માત્ર 200 મીટરના અંતરે આવેલું છે, ત્યારે કોઈને પણ અહીં શુ થયું છે તેના વિશે કોઈ જ માહિતી ના હતી. કેટલાક કલાકો સુધી, જ્યારે પૂજારી શ્યામલાલ ઉપાધ્યાય (70) ત્યાં ન પહોંચ્યા, લોકોએ શોધ કરવાનું શરૂ કર્યું. જ્યારે લોકો નજીકના રૂમમાં ગયા અને તેમના મૃતદેહ ત્યાં પડેલો જોયો. બદમાશો ઘ્વારા મંદિર પર પડેલી દાનપેટી તોડવાનો પ્રયાસ કર્યો. લોકોએ ત્યારપછી પોલીસને માહિતી આપી સૂચના મળતા જ એસપી અનુરાગ વત્સ જગ્યા પર પહોંચ્યા.
આપને જણાવી દઈએ કે મંદિરથી થોડા જ પગલાં દૂર પોલીસ ચોકી આવેલી છે તેમ છતાં આ પ્રકારની ઘટના થઇ ગયી. જેને કારણે લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. પૂજારી શ્યામલાલ ઉપાધ્યાય અહીં લગભગ 12 વર્ષથી પૂજારીનું કામ કરતા હતા.