ઓમિક્રોનના વધતા ખતરા વચ્ચે આજે પીએમ મોદી સમીક્ષા બેઠક કરશે

ઓમિક્રોનના વધતા ખતરા વચ્ચે આજે પીએમ મોદી સમીક્ષા બેઠક કરશે

દેશમાં વધતા ઓમિક્રોનના મામલા વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોવિડ 19 સમીક્ષા બેઠક કરશે અને દેશમાં ઓમિક્રોનના વધતા મામલાના હાલાત પર ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે કોરોનાના નવા વેરિયન્ટથી અત્યાર સુધીમાં દેશમાં 200થી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જણાવી દઈએ કે વડાપ્રધાને આ પ્રકારની બેઠક પહેલા પણ કરી છે. પાછલી બેઠક નવેમ્બર મહિનાના અંતમાં થઈ હતી, જેમાં પીએમ મોદીએ અધિકારીઓને આંતરરાષ્ટ્રીય યાત્રાના નિયમોમાં રાહત આપવાની વાત કહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધિકારીઓને કોરોનાના નવા વેરિયન્ટને લઈ સતર્ક થઈ જવા કહ્યું હતું.

pm modi

સંસદના શિયાળુ સત્રની શરૂઆત પહેલાં પીએમ મોદીએ કોરોનાને લઈ લોકોને સતર્ક રહેવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશના લોકોનું સ્વાસ્થ્ય સારું રાખવું સરકારની પ્રાથમિકતા છે, આ અવસર પર તેમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના આગળ ચાલુ રાખવાનુ પણ એલાન કર્યું હતું, જે અંતર્ગત લોકોને માર્ચ 2022 સુધી મફત અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવે.

જણાવી દઈએ કે અત્યાર સુધી ભારતમાં ઓમિક્રોનના કુલ 213 મામલા સામે આવી ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ દેશની રાજધાની દિલ્હીમાં સૌથી વધુ 57 મામલા નોંધાયા છે, જે બાદ મહારાષ્ટ્રમાં 54 કેસ છે. મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને કોરોનાના નવા વેરિયન્ટને લઈ એલર્ટ જાહેર કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે તાત્કાલિન વૈજ્ઞાનિક તથ્યોના આધાર પર કહી શકાય છે કે ઓમિક્રોન ડેલ્ટા વેરિયન્ટથી ત્રણ ગણુ વધુ તેજીથી ફેલાય છે. ઉલ્લેખનીય છે કે સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જે આંકડા આપ્યા હતા તે મુજબ 24 કલાકમાં કોરોનાના 6317 નવા મામલા સામે આવ્યા હતા જ્યારે 318 લોકોનાં કોરોનાના કારણે મોત થયાં હતાં. દેશમાં કોરોનાના હજી પણ 78190 મામલા છે જે પાછલા 575 દિવસમાં પોતાના ન્યૂનતમ સ્તરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X