કેદારનાથ પહોંચ્યા પીએમ મોદી, મંદિરમાં કરી પૂજા અર્ચના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેદારનાથમાં દિવાળી ઉજવશે. તેઓ આજે સવારે જ દેહરાદૂન પહોંચ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેદારનાથમાં દિવાળી ઉજવશે. તેઓ આજે સવારે જ દેહરાદૂન પહોંચ્યા હતા. પીએમ મોદીએ આ પહેલા ટ્વિટર માધ્યમ ઘ્વારા દેશવાસીઓને દિવાળીની શુભકામના પણ આપી હતી. ધ્યાન આપવા જેવી બાબત છે કે ફક્ત દોઢ વર્ષમાં પીએમ મોદીની આ ત્રીજી કેદારનાથ યાત્રા છે. આ પહેલા ગયા વર્ષે મેં અને ઓક્ટોબર મહિનામાં પીએમ મોદી કેદારનાથ ગયા હતા અને કેદારનાથ મંદિરના દર્શન કર્યા હતા. આ વર્ષે બરફવર્ષા પ્રશાશન માટે મોટો પડકાર બની શકે છે.

narendra modi

પીએમ મોદીએ હર્ષીલમાં જવાનો સાથે દિવાળી ઉજવી. તે દરમિયાન સેના પ્રમુખ પણ હાજર રહ્યા હતા. તેમને જવાનો સાથે મુલાકાત કરી અને ત્યારપછી તેઓ કેદારનાથ માટે રવાના થયા. આ પહેલા ગયા વર્ષે પીએમ મોદીએ કાશ્મીરમાં જવાનો સાથે દિવાળી ઉજવી હતી.

આ પણ વાંચો: લોકો ખરીદી રહ્યા છે મોદીના ફોટો વાળા સોનાનાં બિસ્કિટ, કરશે ભગવાનની જેમ પૂજા

ગયા વર્ષે પીએમ મોદી કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં જવાનો સાથે દિવાળી ઉજવવા માટે પહોંચ્યા હતા. વર્ષ 2014 દરમિયાન પીએમ મોદીએ સિયાચીનમાં દિવાળી ઉજવી હતી. જયારે વર્ષ 2015 દરમિયાન દિવાળી ઉજવવા માટે તેઓ ડોગરાઈ વોર મેમોરિયલ પહોંચ્યા હતા. વર્ષ 2016 વિશે વાત કરવામાં આવે તો પીએમ મોદીએ હિમાચલ પ્રદેશમાં દિવાળી ઉજવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X