ઘનતેરસઃ લોકો ખરીદી રહ્યા છે મોદીના ફોટો વાળા સોનાનાં બિસ્કિટ, કરશે ભગવાનની જેમ પૂજા
ઘનતેરસઃ લોકો ખરીદી રહ્યા છે મોદીના ફોટો વાળા સોનાનાં બિસ્કિટ
નવી દિલ્હીઃ દેશભરમાં આજે ધનતેરસના પર્વની ધૂમ છે, લોકો આજે સોના- ચાંદીની જોર ખરીદી કરી રહ્યા છે. તમામ જ્વેલર્સની દુકાનોમાં જબરદસ્ત વેચાણ થઈ રહ્યું છે. પરંતુ ગુજરાતના સુરત શહેમાં જ્વેલ્સની દુકાનોમાં સોનાનાં બિસ્કિટ વેચાઈ રહ્યાં છે. પરંતુ આ બિસ્કિટની ખાસિયત એ છે કે તેની એક બાજુ પીએમ નરેન્દ્ર મોદી તો બીજી બાજુ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તસવીર છપાયેલ છે. જ્વેલર્સની દુકાન પર આ સોનાના બિસ્કિટની ભારે માગ છે અને હજારો લોકો તેની ખરીદી પણ કરી રહ્યા છે.
લોકો પૂજા કરશે
જ્વેલર્સની દુકાન પર વેચાઈ રહેલ આ બિસ્કિટની લોકપ્રિયતાનો તમે એ વાતથી અંદાજો લગાવી શકો છો કે લોકો આ બિસ્કિટ પર પીએમ મોદી અને અટલ બિહારી વાજપેયીની તસવીર છપાયેલ હોવાથી તેની પૂજા કરવાની વાત કહી રહ્યા છે. એક ગ્રાહકે જણાવ્યુ્ં કે દર દિવાળી પર અમે ભગવાન લક્ષ્મી અને ગણેશની પૂજા કરીએ છીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમારા માટે ભગવાનની જેમ છે. આ વર્ષે હું આ સોનાના બિસ્કિટને ખરીદીશ અને પીએમ મોદીની પૂજા કરીશ.
પીએમના કામને જોતા આ બિસ્કિટ બનાવ્યા
સુરતની જે દુકાનમાં આ સોનાના બિસ્કિટ વેચાઈ રહ્યાં છે તેના માલિક મિલનનું કહેવું છે કે દિવાળી એક પવિત્ર તહેવાર છે. જ્યારથી મોદી પીએમ બન્યા છે, દેશનો ઘણો વિકાસ થયો છે અને સમાજમાં ભારે સુધાર પણ જોવા મળ્યો છે. આ કારણે જ અમે વિચાર્યું કે આ વખતે દિવાળી પર પીએમ મોદીના યોગદાનને જોઈ સોનાના બિસ્કિટ બનાવવામાં આવે. લોકો મોટી સંખ્યામાં આ સોનાના બિસ્કિટની ખરીદી કરી રહ્યા છે અને એમને આ બિસ્ગકિટ પણ પસંદ આવી રહ્યાં છે.
આ કંઈ પહેલી વખત નથી
દુકાનના માલિકનું કહેવું છે કે અમે વિશેષ ઓર્ડર પર સોના અને ચાંદીની ખાસ બિસ્કિટ બનાવ્યા છે. આવું પહેલી વખત નથી જ્યારે પીએમ મોદીની તસવીર વાળી વસ્તુઓ બજારમાં વેચાઈ રહી હોય. અગાઉ પણ ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધન પર લોકો પીએમ મોદીના ફોટા વાળી રાખડી ખરીદી રહ્યા હતા અને ઉત્તર પ્રદેશના સીએમ યોગીના ફોટા વાળી રાખડી પણ વેચાઈ રહી હતી. આ રાખડીઓને 22 કેરેટ ગોલ્ડથી બનાવવામાં આવી હતી.
2019માં રાહુલ ગાંધીને પીએમ ઉમેદવાર બનાવવા પર થરુરનું મોટુ નિવેદન